SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ * અનંતકાળના ભ્રમણમાં આવા વીતરાગ ભગવાન કદી મળ્યા નથી. મળ્યા છે તો શ્રદ્ધા કરી નથી, ભક્તિ નથી કરી, ભક્તિની પરાકાષ્ઠાએ નથી પહોંચ્યા, એ વાત નક્કી છે. ભા. વ. ૮, બપોર, તા. ૨-૧૦-૯૯ ભગવાન તો નિર્વાણ પામ્યા. તો મળ્યા શી રીતે કહેવાય ? એમની વાણી દ્વારા, એમની મૂર્તિ દ્વારા, અત્યારે ભગવાન આપણને મળ્યા છે. જેમ પત્ર દ્વારા કોઈ પ્રિય વ્યક્તિ મળે તેમ. આગમ ભગવાનનો પત્ર છે. એમણે એ પત્ર ગણધરો પાસેથી લખાવ્યો છે. પુષ્કરાવર્ત મેઘની જેમ ભગવાન વરસ્યા છે. ભગવાને ફ્લોનો વરસાદ વરસાવ્યો છે. ગણધરોએ એની માળા ગુંથી છે. એ માળા તે જ આગમ ! પત્ર ભલે ટપાલીએ આપ્યો, પણ છે કોનો ? પ્રેમ ટપાલી પર નહીં, પત્રલખનાર પર થાય. અમે તો ટપાલી છીએ. શશીકાન્તભાઈ ઃ અમને તો ટપાલી પર પ્રેમ છે. : ઉત્તર ઃ અમે એવા ટપાલી છીએ કે લાવીએ ખરા, પણ પહોંચાડી નથી શકતા. * ભાવાવેશ અને ધ્યાનાવેશમાં સ્થળ + કાળ ભૂલાઈ જાય છે. તમને અહીં તમારૂં ગામ, તારીખ વગેરે કાંઈ યાદ આવે છે ? ભાવાવેશ અને ધ્યાનાવેશ ભક્તિથી મળે છે. ‘ભગવન્’ ! આપ કેમ ઢીલ કરો છો આપવામાં ? હું ઉતાવળો છું. તમે ધીમા છો. આમ કેમ ચાલશે ? એમ ભક્ત કહે છે. ૨૭૮ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy