SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ l૪, ૯-૯-૯૯, શ્રા, વદ-0)) નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન...’ પ્રભુ નામ મંત્રનું – મૂર્તિનું સ્મરણ દર્શન કરવાથી પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરવાથી સાક્ષાત્ જાણે પ્રભુ સામે ઊભા હોય, ભક્તને બોલાવતા હોય એવા અનુભવો થાય છે. ભક્તને થાય ઃ આ સ્વપ્ન છે કે શું ? દેખાતા ભગવાન મારા હૃદયમાં પ્રવેશ પામી ગયા છે. ભગવાન જાણે મને બોલાવતા હોય ! અંગે અંગમાં વ્યાપી ગયા હોય તેવા અનુભવો થાય છે, આવા અનુભવો પ્રતિમાશતકમાં યશોવિજયજી એ બતાવ્યા છે. શું આ વાત સત્ય હશે ? વીતરાગ, સિદ્ધશિલામાં રહેલા ભગવાન આ કાળમાં કઈ રીતે આવી શકે ? મોક્ષમાં ગયેલા ભગવાન જૈનોના મતે તો નીચે આવે નહિ. રામ, કૃષ્ણ, શંકર વગેરે દર્શન આપે પણ વીતરાગ કેમ દર્શન આપે ? સાથે ઉપા. યશોવિજયજી મ. જેવા પ્રખર વિદ્વાન આવા શબ્દો ટાંકે તો અનુભવ વિનાની તો વાત ન જ હોય. કઈ વાત સાચી ? બન્ને વાત સાચી. સિદ્ધમાં ગયા છે, નથી આવતા તે વાત સાચી તેમ યશોવિ. મ.ની વાત પણ સાચી. ભક્તની ભાષા લોકથી તો જુદી પડે, પણ શાસ્ત્રથી પણ જુદી પડે, છતાં શાસ્ત્રવિરુદ્ધ ન કહેવાય. શાસ્ત્રથી અતિક્રાન્ત અનુભવ તે સામર્થ્ય યોગ છે. કહે કલાપૂર્ણસૂરિ .... Jain Education International For Private & Personal Use Only ...૨૨૭ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy