SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આભાનુભવાર્થડાર ઉધા. શ્રી પૂ. યશોવિજયજીકૃત અધ્યાત્મસાર આત્માનુભૂતિને પ્રગટાવવા માટે ત્રણ વસ્તુ જોઈએ. ૧) શાસ્ત્ર, ૨) મિથ્યાત્વનો ધ્વંસ, ૩) કષાયની અલ્પતા. બાહ્ય અંધારું સૂર્યટાળે. હદયનું અંધારું સદ્ગુરુટાળે. “જ્ઞાનપ્રકાશે રે, મોહ- તિમિર હરે, જેને સદ્ગુરુ સૂર..” મનની પાંચ અવસ્થા છે દુષ્ટ, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ. પ્રથમ તબક્કામાં મન ચંચળ જ રહેવાનું છે. માંકડ અને માંકડું આમેય ચપળ છે જ. તમે એને પકડવા પ્રયત્ન કરો એમ તે દૂર ભાગે. પણ એમ સમજીને સાધનાથી દૂર નથી લાગવાનું. આ સ્વાભાવિક છે, એમ સમજીને સાધનાને મજબૂતીથી પકડવાની છે. યોગશાસ્ત્રમાં મનની ચાર અવસ્થા (વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સુલીન.)ઓનો સમાવેશ આ પાંચમાં થઈ જાય છે. મૂઢ વિરુદ્ધ કાર્યોમાં ડૂબી જાય. વિક્ષિતઃ બહિર્મુખ મન. સુખમાં રાજી અને દુઃખમાં નારાજ. ત્રીજી અવસ્થામાં સત્ત્વ ગુણની અધિકતા છે. આ ત્રણ દશાથી જે ઉપર ઉઠે છે તે એકાગ્ર અવસ્થા સુધી પહોચે છે. પવન રહિત સ્થાનમાં દીવાની જ્યોત સ્થિર હોય છે, તેમ અહીં ચિત્ત સ્થિર થઈ જાય છે. નિરુદ્ધઃ સંકલ્પ-વિકલ્પોનો સંપૂર્ણ ત્યાગ. આત્મસ્વરૂપમાં લીન બનેલા મુનિઓને આવું મન હોય છે. પ્રથમ ત્રણ ચિત્ત આરાધનામાં ઉપયોગી નથી. Jain E cation International For Private & Personal Use Only » કહે, કલાપૂર્ણસૂરિ
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy