SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૉd, ૨૯-૪-૯૯, શ્રા. ત. ૩ * ધર્મ મંગળ જ કરે. અધર્મ, અમંગળ, અહિત જ કરે. મંગળનું બીજું નામ સુખ છે. ઘરથી નીકળતાં મંગળ કરીએ છીએ, પણ એ દ્રવ્ય મંગળ છે. ધર્મ દુનિયાના બધા જ મંગળોમાં ઉત્કૃષ્ટ છે : – ધમ્મો મંગલમુઘ્ધિાંન ધર્મનું મૂળ વિનય છે. માટે જ નવકાર (નમો) મહામંગળ કહેવાય છે. મંળતાળ ચ સવ્વતિ પઢમં હવદ્ મંત્ન | * ધર્મને યોગ્યતા દેખાય તો જ આપણામાં તે આવે. અધર્મ યોગ્યતા – અયોગ્યતા કાંઈ જ જોતો નથી. તરત જ ધસી આવે છે. જ્યારે ધર્મ યોગ્યતા વિના આવતો નથી જ. યોગ્યતા માટે દરકાર કરવી પડે છે. અયોગ્યતા માટે કાંઈ જ જરૂરી નથી. સહેજ યોગ્યતા ન દેખાય તો ધર્મ બારીમાંથી જોઈને જ ભાગી જાય, અંદર આવે જ નહિ. માટે જ ધર્માચાર્યો યોગ્યતા સૌ પ્રથમ જુએ છે. માટે જ અયોગ્યને ધર્મ સૂત્રો આપવાની શાસ્ત્રકારો ના પાડે છે. પૂ. ક્નકસૂરિજી નિઃસ્પૃહશિરોમણિ હતા. પ્રસિદ્ધિ વગેરેની કોઈ અપેક્ષા નહોતી. ધારત તો ઘણા શિષ્યો કરી શકત, યોગ્યતા ન જણાતાં તેઓ વેગળા જ રહ્યા. 6 * મદ્રાસમાં રશિયાનો તત્ત્વજિજ્ઞાસુ આવેલો. એ માટે એ હિન્દી શીખીને આવેલો. મોહનલાલજી ઢઢઢા, ખરતરગચ્છના પ્રમુખ તેને લઈ આવેલા. ‘મુન્ને તત્ત્વજ્ઞાન શીલના મૈં ।’એની વાત જાણીને તત્ત્વજ્ઞાન – પ્રવેશિકાનો ૧લો પાઠ શીખવાડ્યો. ખૂબ જ રાજી થયો. તમને આવી જિજ્ઞાસા ખરી ? અમારી પાસે શા માટે આવો છો ? ધંધો સારો ચાલે, તબિયત સારી રહે માટે ? ૧૯૦ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy