SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ધારી રાખવી એટલે જનમ-જનમમાં સાથે આવે એ રીતે ભક્તિના દૃઢ સંસ્કાર પાડવા. ઉપયોગ ધ્યાનનો જ પર્યાયવાચી શબ્દ છે. ઉપયોગ એટલે જાગૃતિ, સાવધાની. અનુષ્ઠાન, ઉપયોગ-સહિત હોય તો જ નિરતિચાર થાય. * ઠાણેણં-કાયિક, મોણેણં-વાચિક, ઝાણેણં - માનસિક ધ્યાન. આમ કાયોત્સર્ગમાં ત્રણેય યોગોનું ધ્યાન આવી ગયું. * પં. ભદ્રંકરવિ. મ. કહેતા ઃ લોગસ્સ સમાધિ સૂત્ર છે. તેનું બીજું નામ નામસ્તવ અને ત્રીજું નામ લોકોદ્યોતકર છે. અહીં લોકથી લોકાલોક લેવાનું છે. મીરાં, કબીર, ચૈતન્ય આદિ જૈનેતરો પણ પ્રભુ – નામ કીર્તનના માધ્યમે સમાધિ સુધી પહોંચી શક્યા છે. લોગસ્સ પ્રભુ નામ-કીર્તનનું સૂત્ર છે. * જગ ચિંતામણિ વખતે ‘સકલકુશલવલ્લી’ બોલવાની જરૂર નહિ. કારણકે સકલ. નો ભાવાર્થ જગચિંતામણિમાં આવી જાય છે. * અપ્રાપ્ત ગુણો મેળવી આપે, પ્રાપ્ત ગુણોની રક્ષા કરે તે નાથ. અથવા અસત્પ્રરૂપણાથી રોકે, સત્પ્રરૂપણામાં જોડે તે નાથ. યોગ-ક્ષેમ કરે તે નાથ. ભગવાન જગન્નાથ છે. ભગવાન જગરક્ષણ છે, દુર્ગતિમાંથી બચાવીને સદ્ગતિમાં સ્થાપિત કરે છે ઃ કતલખાનાથી બચાવીને ગાયોને પાંજરાપોળમાં ન મોકલાય તો ? દુર્ગતિથી રોકીને ભગવાન આપણને સદ્ગતિમાં ન મોકલે તો ? ન ‘જગબાંધવ, ભગવાન આપણા સાચા બંધુ છે. આપત્તિ વખતે બંધુ જ કામ લાગે, બીજા તો ભાગી જાય. સંકટ વખતે આખું જગત ભલે તમને છોડી દે, ભગવાન કદી નહિ છોડ, ‘જગ ભાવિવેઅક્ષણ’ ભગવાન જગતના ભાવોને જાણનારા છે. જગચિંતામણિમાં આ બધા નામ ભગવાન થયા. ‘અટ્કાવય સંવિયરૂવ’ તથા ‘સિંહ સિસ્તુંબિ’ થી ‘માસય વિંવાડુંપળમામિ’ સુધી સ્થાપના ભગવાન ‘ક્રોસય સરિસય’ થી દ્રવ્ય ભગવાન ‘સંપકૢ નિળવા વીસ’ થી ભાવ ભગવાનની સ્તુતિ થઇ. ૧૭૮ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy