SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ નાની કડી . બુધ, ૭-૭-૯૯, દ્વિ. જેઠવદ – ૯ * ભવના રાગીને વિષય - કષાય વિના ચેન ન પડે, તેમ ભગવાનના રાગીને ભગવાન વિના ચેન ન પડે. આ જ પ્રીતિયોગ છે. જેના પર પ્રેમ થયો હોય તેને સમર્પિત થવું જ પડે, વફાદાર રહેવું જ પડે. આ ભક્તિયોગ છે. જેને સમર્પિત હોઇએ તેની વાત સ્વીકારવી પડે. “સ્વીકારવી પડે એમ કહેવા કરતાં જ્યાં પ્રેમ- સમર્પણ હોય ત્યાં સહજ રીતે જ તેમની વાત સ્વીકારાઈ જાય છે. આ જ વચન-યોગ છે. જેની વાત સ્વીકારી તેની સાથે એકમેક પણ થવાના જ. આ અસંગયોગ છે. * કોઈપણ યોગ (સ્થાન વગેરે કે અહિંસા વગેરે) સિદ્ધ થયો ત્યારે ગણાય જ્યારે તમારા દ્વારા સહજ રીતે જ બીજામાં વિનિયોગ થઈ શકે. * નમસ્કાર કરવાની મારામાં શક્તિ નથી, યોગ્યતા પણ નથી. માટે જ શક્રસ્તવમાં ‘નમામિ ન કહેતાં “નમુત્યુ ણ' (નમોડસ્તુ) કહ્યું: “નમોડસ્તુ' એટલે નમસ્કાર હો!” “હું નમું છું' એમ નહિ, “હું નમું છું માં અહંકારની સંભાવના છે. નમસ્કાર હો!” માં નહિ. * કાયા શાણી છે. વાણી પણ શાણી છે. આપણે ક્યીએ ને તરત જ માની જાય. પણ સવાલ છે મનનો. આપણે કહીએને મન માની જાય, એ વાતમાં માલનહિ, માની જાય એ મન નહિ. કાયા માની જાય એટલે સ્થાનયોગ સધાય. Jain કઈ કલાપૂર્ણસૂરિવા.... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy