SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન ભલે મોટા હોય, ભારે હોય, પણ ભગવાનનું નામ સાવ જ હલકું અને સરળ છે. એ નામનું આલંબન તો આપણે લઈ શકીએ ને ? નવકાર પ્રભુનું નામ છે. ‘ૐ હ્વીં શ્રી અજ્જૈ નમઃ ।' આ સપ્તાક્ષરી મંત્ર પણ ‘નમો અરિહંતાણં’ નું રૂપાંતર છે. એ પણ ન ફાવે તો માત્ર ‘અરિહંત’ કે ‘ૐ નમઃ’ કે ‘અર્હ’ કે ‘ૐ’નો જાપ પણ કરી શકાય. બધા જ મંત્રોમાં પ્રભુ રહેલા છે, એ ભૂલવાનું નથી. મંત્રથી અવશ્ય આપણું અનુસંધાન પ્રભુ સાથે જોડાય. ફોન કરો ને બીજાની સાથે સંપર્ક થાય, તેમ મંત્રદ્વારા ભગવાન સાથે સંપર્ક થાય. એવું કોઈ ક્ષેત્ર નથી કે એવો કોઈ કાળ નથી કે જ્યારે પ્રભુ-નામ લઈ ન શકાય. નામાદિ રૂપે જ ભગવાન આખા જગતને પવિત્ર બનાવી રહ્યા છે. ભગવાનનો સંકલ્પ આ રીતે વિશ્વમાં કામ કરી રહ્યો છે. ‘નામાડઽતિ દ્રવ્યમાવ:'' એ પ્રભુને ધારી રાખવા હોય તો એમના નામને પકડો અથવા એમની મૂર્તિને પકડો. પ્રભુના જ રૂપો છે. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ... ૯૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy