SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સોમ, ૨-૮-૯૯, અષા. વદ. ૭, - * ૨૧ હજાર વર્ષ સુધી શાસન – પરંપરા ચલાવવાની છે. માટે જ ઉતમ ગુરુ તથા ઉત્તમ શિષ્ય કેવા હોય, તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ઉત્તમ ભૂમિ અને ઉત્તમ બીજ હોય તો જ ઉત્તમ ફળ આવે. ખારી ભૂમિ કે સડેલું બીજ હોય તો ? બેમાંથી એક પણ ખરાબ હોય તો પણ ફળ ઉત્તમ ન આવે. આર્ય સિવાયના અનાર્ય દેશોમાં આત્માની ચિંતા છે જ નહિ. આત્માની સ્વીકૃતિ જ નથી, જે જન્મ - પુનર્જન્મ કરતો રહે છે. સાક્ષાત્ તીર્થંકર પણ વિધપૂર્વક હાથ જોડીને જ્યારે ‘મિ સામાઊં’ ની પ્રતિજ્ઞા લે છે ત્યારે જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. સીધા ૭મા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, આ વિધિના પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે. સાત ખમાસમણા વિનયના પ્રતીક છે. એકેક ખમાસમણામાં વિનય ટપકે છે. શિષ્યઃ ‘સંનિષદ િભળામિ' ? ‘આજ્ઞા આપો શું કહું ?’ ગુરુ : ‘વંવિત્તા પવેયહ’ ‘વંદન કરીને પ્રવેદન કરો.’ પછી શિષ્ય ખમાસમણ આપે. કેટલો ઉત્કૃષ્ટ વિનય અહીં ઝળકે છે ? શિષ્ય સંવિગ્ન હોય. સંવિગ્ન એટલે ભવભીરુ અને મોક્ષનો અભિલાષી. ૯૬ Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy