SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ આપણો સંસ્કાર વારસો ૧૯. પોતાના આરોગ્યનું જતન કરો. - - - જીવનના કોઇપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા નીરોગી શરીર ઉપકારી બને છે તેથી જ મહાપુરુષોએ કહ્યું - * શરીર એ જ ધર્મકરણ માટેનું પ્રથમ સાધન છે. *પહેલું સુખ તે જાતે નર્યા. * Health is wealth. આજનું શહેરી જીવન ઘણી જ ધાંધલ-ધમાલવાળું બની ગયું છે. સુખી જીવનની કલ્પનાઓ બદલાઇ ગઇ હોવાથી ખૂબ પૈસા કમાવા માટે જીવનમાં દોડધામ સિવાય બીજું કાંઇ દેખાતું નથી. ભોજન, શ્રમ, કુટુંબ-જીવન, સંસ્કાર, સુયોગ્ય રીતભાત વગેરેમાં એવી અનિયમિતતાઓ, વિકૃતિઓ, દંભ અને દેખાદેખી ઘર કરી ગયા છે કે ડીપ્રેશન, વિહવળતા, બ્લડ પ્રેશર, જઠરનું ચાંદુ, હૃદય-રોગ, શારીરિક સ્થૂળતા, ગુપ્ત રોગો આદિ અનેક વિષમતાઓનો બહોળો વ્યાપ થઇ ગયેલો જોવામાં આવે છે. આ બધાનો કોઇ મુખ્ય ઇલાજ હોય તો તે પોતાની જ સાચી સમજણ અને તેને અનુરૂપ આચરણ દ્રઢતાથી અમલમાં મૂકવું તે છે. કેટલીક અનુભૂત કૂંચીઓ બતાવું છું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001323
Book TitleAapno Sanskar Varso
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy