SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ૩૭૩ પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ વગેરેની આરાધના થતી નથી. આ પ્રથમ પ્રતિમાનું નામ દર્શનપ્રતિમા છે. બીજી પ્રતિમાનું નામ વ્રતપ્રતિમા છે. તેમાં શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિ તો સમ્યપણે પળાય છે પરંતુ સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું સમ્યફ પાલન થતું નથી. ત્રીજી પ્રતિમાનું નામ સામાયિકપ્રતિમા છે. તેમાં સામાયિક અને દેશાવકાશિક વ્રતોની સમ્યફ આરાધના થતી હોવા છતાં પણ ચૌદસ, આઠમ, અમાસ, પૂનમ વગેરે દિવસોએ પૌષધોપવાસનું સમ્યફ પાલન નથી હોતું. ચોથી પ્રતિમામાં રહેલો શ્રાવક ચૌદસ આદિ દિવસોએ પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યકપણે પાલન કરે છે. આ પ્રતિમાનું નામ પૌષધપ્રતિમા છે. પાંચમી પ્રતિમાનું નામનિયમપ્રતિમા છે. તેમાં રહેલો શ્રમણોપાસક નીચે જણાવેલા પાંચ નિયમોનું ખાસ પાલન કરે છે – (૧) સ્નાન ન કરવું, (૨) રાત્રિભોજન ન કરવું, (૩) ધોતિયાને કાછડો ન મારવો, (૪) દિવસે બ્રહ્મચર્ય પાળવું અને રાતે મૈથુનની મર્યાદા બાંધવી અને (૫) એકરાત્રિની પ્રતિમાનું પાલન કરવું અર્થાત મહિનામાં ઓછામાં ઓછું એક રાત તો કાયોત્સર્ગ અવસ્થામાં ધ્યાનપૂર્વક વ્યતીત કરવી. - છઠ્ઠી પ્રતિમાનું નામ બ્રહ્મચર્યપ્રતિમા છે કેમ કે તેમાં શ્રાવક દિવસની જેમ રાતે પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પ્રતિમામાં બધી જ જાતના સચિત્ત આહારનો પરિત્યાગ નથી હોતો. સાતમી પ્રતિમામાં બધી જ જાતના સચિત્ત આહારનો પરિત્યાગ કરી દેવામાં આવે છે પરંતુ આરંભનો (કૃષિ, વ્યાપાર આદિમાં થનારી અલ્પ હિંસાનો) ત્યાગ નથી કરવામાં આવતો. આ પ્રતિમાનું નામ સચિત્તત્યાગપ્રતિમા છે. આઠમી પ્રતિમાનું નામ આરંભત્યાગપ્રતિમા છે. તેમાં ઉપાસક પોતે તો આરંભ કરવાનો છોડી દે છે પરંતુ બીજા પાસે આરંભ કરાવવાનું છોડતો નથી. નવમી પ્રતિમા ધારણ કરનારો શ્રાવક આરંભ કરાવવાનું પણ ત્યાગી દે છે. આ અવસ્થામાં તે ઉદિષ્ટ ભક્તનો એટલે કે પોતાના માટે બનાવાયેલ ભોજનનો ત્યાગ નથી કરતો. આ પ્રતિમાનું નામ પ્રખ્યપરિત્યાગપ્રતિમા છે કેમ કે તેમાં આરંભ કરવા માટે કોઈને ક્યાંક મોકલવાનું કે મોકલાવવાનું ત્યાગી દેવામાં આવે છે. આરંભવર્ધક પરિગ્રહનો ત્યાગ હોવાના કારણે આ પ્રતિમાને પરિગ્રહત્યાગપ્રતિમા પણ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy