SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ જેને ધર્મ-દર્શન (૩) અનર્થદંડ વિરમણ – પોતાના અથવા પોતાના કુટુંબના જીવનનિર્વાહ માટે કરાતા અનિવાર્ય સાવદ્ય અર્થાત્ હિંસાયુક્ત વ્યાપાર-વ્યવસાય સિવાય બાકી બધી જ પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ જવું એ અનર્થદંડવિરમણ વ્રત છે. આ ગુણવ્રતથી મુખ્યપણે અહિંસા અને અપરિગ્રહનું પોષણ થાય છે. અનર્થદંડવિરમણ વ્રતધારી શ્રાવક નિરર્થક કોઈની હિંસા કરતો નથી કે વસ્તુઓનો નિરર્થક સંગ્રહ પણ કરતો નથી કેમ કે આ જાતના સંગ્રહથી હિંસાને પ્રોત્સાહન મળે છે. અનર્થદંડ અર્થાત નિરર્થક પાપપૂર્ણ પ્રવૃત્તિઓ ચાર પ્રકારની દર્શાવવામાં આવી છે– (૧) અપધ્યાન, (૨) પ્રમાદાચરણ, (૩) હિંસાપ્રદાન અને (૪) પાપકર્મોપદેશ. અપધ્યાન એટલે કુધ્યાન. ધ્યાનના ચાર પ્રકાર છે–આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આ ચારમાંથી પહેલાં બે ધ્યાનો અશુભ ધ્યાનો છે, કુષ્માનો છે અને પછીનાં બે ધ્યાનો શુભ ધ્યાનો છે, સુધ્યાનો છે. આર્તધ્યાનના ચાર પ્રકાર છે – ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, રોગચિન્તા અને નિદાન. પ્રિય વસ્તુ અથવા વ્યક્તિનો વિયોગ થતાં તેના સંયોગ માટે શોકાકુલ રહેવું એ ઇષ્ટવિયોગ આર્તધ્યાન છે. અપ્રિય વસ્તુ યા વ્યક્તિનો સંયોગ થતાં તેના વિયોગ માટે વ્યાકુળ રહેવું અનિષ્ટસંયોગઆર્તધ્યાન છે. શારીરિક કે માનસિક પીડા દૂર કરવાની સતત ચિત્તા અને વ્યાકુળતા રહેવી એને રોગચિન્તા આર્તધ્યાન કહે છે. અપ્રાપ્ત વિષયોને પ્રાપ્ત કરવાની કામનાથી પ્રેરાઈને તીવ્ર સંકલ્પ કરવો એ નિદાનઆર્તધ્યાન છે. રૌદ્રધ્યાન એટલે ક્રૂરતાપૂર્વક એકની એક વાતનું સતત ચિન્તન. જેનું મન ક્રૂર હોય છે તે રુદ્ર કહેવાય છે. રુદ્ર વ્યક્તિનું ધ્યાન રૌદ્રધ્યાન કહેવાય છે. હિંસા, અસત્ય, ચોરી આદિ આચરવા બાબતનું સતત ચિન્તન રૌદ્રધ્યાનમાં સમાવેશ પામે છે. કેમ કે તેમાં ક્રોધ, ઈર્ષા, કપટ, લોભ, અહંકાર આદિ ક્રૂર વૃત્તિઓ વિદ્યમાન હોય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું સેવન જ અપધ્યાનાચરણ છે. પ્રમાદાચરણ એટલે આળસ કરવી. શુભ પ્રવૃત્તિમાં આળસ કરવી અર્થાત્ શુભ પ્રવૃત્તિ કરવી જ નહિ અથવા અસાવધાનીપૂર્વક શુભપ્રવૃત્તિ કરવી એ પ્રમાદાચરણ છે. એનું વિધેયાત્મક રૂપ અશુભ કાર્યો કરવામાં ઉદ્યમશીલ રહેવું એ છે. હિંસાપ્રધાનનો અર્થ છે કોઈને હિંસક સાધન જેમ કે અસ્ત્રશસ્ત્ર, વિષ આદિ આપીને હિંસક કૃત્યોમાં સહાયક બનવું તે. જે ઉપદેશના કારણે તેને સાંભળનારા પાપકર્મમાં પ્રવૃત થાય તેવો ઉપદેશ આપવો એ પાપકર્મોપદેશ કહેવાય છે. જેમ હિંસાથી વિરત વ્યક્તિ કોઈને હિંસાનાં સાધનો આપીને હિંસક કૃત્યોમાં સહાયક બનતી નથી તેમ પાપકર્મથી નિવૃત્ત વ્યક્તિ કોઈને પાપકર્મનો ઉપદેશ આપીને પાપપૂર્ણ કૃત્યોમાં સહાયક બનતી નથી. આમ અપધ્યાનાચરણ, પ્રમાદાચરણ, હિંસાપ્રદાન અને પાપકર્મોપદેશ તથા એવી જાતની અન્ય નિરર્થક પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવું એ અનર્થદંડવિરમણવ્રતીને માટે આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy