SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શન ચારિત્રનો અભાવ હોય છે. તેમાં વિચારશુદ્ધિ વિદ્યમાન હોવા છતાં પણ આચારશુદ્ધિનો અભાવ હોય છે. આ ગુણસ્થાનનું નામ અવિરતસમ્યગ્દષ્ટિ છે. ૩૩૨ (૫) દેશિવરતિ -દેશવિરતસમ્યગ્દષ્ટિનામના પાંચમા ગુણસ્થાનમાં વ્યક્તિની આત્મિક શક્તિ વધુ વિકસે છે, પ્રગટે છે. તે પૂર્ણપણે સમ્યક્ચારિત્રની આરાધના તો નથી કરી શકતી પરંતુ આંશિકપણે તેનું પાલન અવશ્ય કરે છે. આ અવસ્થામાં રહેલી વ્યક્તિને જૈન આચારશાસ્ત્રમાં ઉપાસક અથવા શ્રાવક કહેવામાં આવેલ છે. શ્રાવકની આંશિક ચારિત્રસાધના અણુવ્રત નામે પ્રસિદ્ધ છે. અણુવ્રતનો અર્થ છે સ્થૂલ, નાનું અથવા આંશિક ચારિત્ર અથવા નિયમ. અણુવ્રતી ઉપાસક પૂર્ણપણે અથવા સૂક્ષ્મ રીતે સમ્યક્ ચારિત્રનું પાલન કરવા અસમર્થ હોય છે. તે સ્થૂળપણે જ ચારિત્રનું પાલન કરે છે. સ્કૂલ હિંસા, અસત્ય આદિનો ત્યાગ કરીને પોતાનો વ્યવહાર ચલાવતો તે યત્કિંચિત્ આધ્યાત્મિક સાધના કરે છે. (૬) સર્વવિરતિ – છઠ્ઠા ગુણસ્થાનમાં સાધક થોડો આગળ વધે છે. તે દેશવિરતિ અર્થાત્ આંશિક વિરતિથી સર્વવિરતિ અર્થાત્ પૂર્ણવિરતિ ભણી જાય છે. આ અવસ્થામાં તે પૂર્ણપણે સમ્યક્ ચારિત્રની આરાધના આરંભી દે છે. તેનું વ્રત અણુવ્રત નહિ પણ મહાવ્રત કહેવાય છે. તે અણુવ્રતી ઉપાસક અથવા શ્રાવક કહેવાતો નથી પણ મહાવ્રતી સાધક અથવા શ્રમણ કહેવાય છે. આ બધું હોવા છતાં પણ એવું ન કહી શકાય કે આ અવસ્થામાં રહેલા સાધકનું ચારિત્ર સર્વથા વિશુદ્ધ હોય છે અર્થાત્ તેમાં કોઈ જાતનો દોષ હોતો નથી. અહીં પ્રમાદ વગેરે દોષોની ઓછીવત્તી સંભાવના રહે છે તેથી આ ગુણસ્થાનનું નામ પ્રમત્તસંયત રાખવામાં આવ્યું છે. સાધક પોતાની આધ્યાત્મિક પરિસ્થિતિ અનુસાર આ ભૂમિકા પરથી નીચે પણ પડી શકે છે કે તેનાથી ઉપર પણ ચડી શકે છે. (૭) અપ્રમત્ત અવસ્થા સાતમા ગુણસ્થાને રહેલો સાધક પ્રમાદ આદિ દોષોથી મુક્ત થઈને આત્મસાધનામાં લગ્ન હોય છે. તેથી તેને અપ્રમત્તસંયત ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં રહેલા સાધકને પ્રમાદજન્ય વાસનાઓ સાવ જ છોડી દેતી નથી. તે વાસનાઓ વચ્ચે વચ્ચે તેને પરેશાન કરતી રહે છે. પરિણામે તે ક્યારેક પ્રમાદાવસ્થામાં હોય છે તો ક્યારેક અપ્રમાદાવસ્થામાં. આમ સાધકની નાવ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનો વચ્ચે ડોલતી રહે છે. - (૮) અપૂર્વકરણ ~ જો સાધકનું ચારિત્રબળ વિશેષ બળવાન હોય અને તે પ્રમાદઅપ્રમાદના આ સંઘર્ષમાં વિજયી બની સ્થાયી અપ્રમત્તઅવસ્થા પ્રાપ્ત કરી લે તો તેને તદનુગામી એક એવી શક્તિની સંપ્રાપ્તિ થાય છે જેનાથી રહ્યાસહ્યા મોહમળને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy