SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ જૈન ધર્મ-દર્શન આવ્યો છે. કર્મને જ સંસારનું કારણ માનવામાં આવેલ છે તથા કર્મના અભાવને (સંપૂર્ણ ક્ષયને) મોક્ષ કહેવામાં આવેલ છે. સ્થાનાંગ અને સમવાયાંગમાં કર્મવાદ ઉપર કંઈક અધિક વિચાર થયો છે. કર્મના આસ્રવના હેતુઓનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું છે કે આસ્રવદ્વાર પાંચ છે ઃ (૧) મિથ્યાત્વ (મિથ્યા શ્રદ્ધા), (૨) અવિરતિ (વ્રતાભાવ), (૩) પ્રમાદ, (૪) કષાય (ક્રોધમાન-માયા-લોભ) અને (૫) યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ)1. પુણ્યનાં અર્થાત્ શુભ કર્મબન્ધનાં નવ કારણો છે (૧) અન્નદાન, (૨) પાનદાન, (૩) વસ્ત્રદાન, (૪) ગૃહદાન, (૫) શયનદાન, (૬) મનઃપ્રસાદ (ગુણી જનોને જોઈને ચિત્ત પ્રસન્ન થવું), (૭) વચનપ્રશંસા (ગુણી જનોની વાણીની પ્રશંસા કરવી), (૮) કાયસેવા (શરીરથી શુશ્રુષા કરવી) અને (૯) નમસ્કાર. પાપનાં અર્થાત્ અશુભ કર્મબન્ધનાં પણ નવ કારણો છે (૧) હિંસા, (૨) અસત્ય, (૩) ચોરી, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા અને (૯) લોભ.૨ કર્મબન્ધના ચાર પ્રકાર છે— (૧) પ્રકૃતિબન્ધ, (૨) સ્થિતિબન્ધ, (૩) અનુભાવબન્ધ અને (૪) પ્રદેશબન્ધ. કર્મના પણ ચાર પ્રકાર છે (૧) શુભ અને શુભાનુબન્ધી, (૨) શુભ અને અશુભાનુબન્ધી, (૩) અશુભ અને અશુભાનુબન્ધી તથા (૪) અશુભ અને શુભાનુબન્ધી.૪ પ્રકૃતિબન્ધના આઠ પ્રકાર છે -(૧) જ્ઞાનાવરણીય (જ્ઞાનને અર્થાત્ વિશેષ બોધને આવૃત કરનાર), (૨) દર્શનાવરણીય (દર્શનને અર્થાત્ સામાન્ય બોધને આવૃત કરનાર), (૩) વેદનીય (શારીરિક સુખ-દુઃખ દેનાર), (૪) મોહનીય (આત્મામાં મોહ ઉત્પન્ન કરનાર), (૫) આયુ (ભવસ્થિતિ દેનાર), (૬) નામ (શારીરિક વૈવિધ્ય પ્રદાન કરનાર), (૭) ગોત્ર (શારીરિક ઉચ્ચત્વ-નીચત્વ પ્રદાન કરનાર) અને (૮) અન્તરાય (આદાન-પ્રદાન આદિમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર).૫ તેમના ઉપભેદો પણ ગણાવ્યા છે. આ જ પ્રમાણે સ્થિતિબન્ધ અને અનુભાવબન્ધ ઉપર પણ કંઈક પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રદેશબન્ધ અંગે બન્ને સૂત્રોમાં કોઈ પણ પ્રકારની વિશેષ ચર્ચા VANTA ―― Jain Education International ----- ૧. સ્થાનાંગ, ૪૧૮; સમવાયાંગ, ૫. ૨. સ્થાનાંગ,૬૭૬-૬૭૭. ૩. સ્થાનાંગ, ૨૯૬; સમવાયાંગ ૪ (પ્રકૃતિ = સ્વભાવ, સ્થિતિ =કાલ, અનુભાવ=૨સ, પ્રદેશ=પુદ્ગલપરમાણુ). ૪. સ્થાનાંગ, ૩૬૨. (શુભ =પુણ્ય, અશુભ=પાપ. શુભના ઉદયના સમયે પુનઃ શુભનો બંધ થવો પ્રથમ પ્રકાર છે. આ જ રીતે અન્ય પ્રકારો પણ સમજવા જોઈએ.) ૫. સ્થાનાંગ, ૫૯૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy