SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમીમાંસા ૨૦૧ પ્રાત્યયિક અને આનુગામિક. વ્યવસાયનો અર્થ થાય છે નિશ્ચય. નિશ્ચયાત્મક જ્ઞાન જ પ્રમાણ છે. પ્રમાણના કેટલા ભેદ થાય છે એ અંગે અનેક પરંપરાઓ પ્રચલિત રહી છે. આગમોમાં જે વિવરણ મળે છે તે ત્રણ અને ચાર ભેદોનો નિર્દેશ કરે છે. સાંખ્ય પ્રમાણના ત્રણ ભેદો માને છે. નૈયાયિકોએ ચાર ભેદો માન્યા છે. આ બન્ને પરંપરાઓ સ્થાનાંગસૂત્રમાં મળે છે. અનુયોગદ્વા૨માં પ્રમાણના ભેદોનું કેવું વર્ણન છે ? સંક્ષેપમાં તેને દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રત્યક્ષ — પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે — ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ. ઇન્દ્રિયપ્રત્યક્ષના પાંચ ભેદ છે શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ, ચક્ષુરિન્દ્રિયપ્રત્યક્ષ, ઘ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ, રસનેન્દ્રિયપ્રત્યક્ષ અને સ્પર્શનેન્દ્રિયપ્રત્યક્ષ. નોઇન્દ્રિયપ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે અવધિપ્રત્યક્ષ, મન:પર્યાયપ્રત્યક્ષ અને - કેવલપ્રત્યક્ષ. માનસપ્રત્યક્ષને અલગ ગણાવવામાં આવ્યું નથી. સંભવતઃ તેનો સમાવેશ પાંચે ઇન્દ્રિયપ્રત્યક્ષોમાં કરી લીધો છે. ઉત્તરકાલીન દાર્શનિકોએ તેને સ્વતન્ત્ર સ્થાન આપ્યું છે. ―― અનુમાન – અનુમાન પ્રમાણના ત્રણ ભેદો કરવામાં આવ્યા છે · પૂર્વવત્, શેષવત્ અને દૃષ્ટસાધર્મવત્. ન્યાય, બૌદ્ધ અને સાંખ્ય દર્શનમાં પણ અનુમાનના આ જ ત્રણ ભેદો દર્શાવવામાં આવ્યા છે. તે દર્શનોમાં અન્તિમ ભેદનું નામ દૃષ્ટસાધર્મવત્ના બદલે સામાન્યતોદષ્ટ છે. પૂર્વવત્ — પૂર્વપરિચિત લિંગ (હેતુ) દ્વારા પૂર્વપરિચિત પદાર્થનું જ્ઞાન કરવું પૂર્વવત્ અનુમાન છે. એક માતા પોતાના પુત્રને બાલ્યાવસ્થામાં દેખે છે. પછી પુત્ર १. तिविहे ववसाए पण्णत्ते तं जहा - પન્નવસ્તુ, પવ્વરૂપ, અનુમિદ્ । ૧૮૫ व्यवसायो निश्चयः स च प्रत्यक्ष अवधिमन:पर्ययकेवलाख्यः, प्रत्ययात् इन्द्रियलक्षणात् निमित्ताज्जातः प्रात्ययिकः साध्यमग्न्यादिकमनुगच्छति साध्याभावे न भवति यो धूमादिहेतुः सोऽनुगामी ततो जातम् आनुगामिकम् अनुमानम् तद् योऽवसाय आनुगामिक एवेति । अथवा प्रत्यक्षः स्वयं दर्शनलक्षणः, प्रात्ययिकः आसवचनप्रभवः, तृतीयस्तथैव । અભયદેવકૃત વ્યાખ્યા. ૨. ન્યાયસૂત્ર, ૧.૧.૫; ઉપાયહૃદય, પૃ. ૧૩; સાંખ્યકારિકા, ૫-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy