SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈન ધર્મ-દર્શન અહીં દેવદત્તથી દીપક જે રીતે ભિન્ન છે તે રીતે નેત્ર ભિન્ન નથી. જો કે દીપક અને નેત્ર બન્ને કરણ છે તેમ છતાં તે બન્ને કરણોમાં બહુ અત્તર છે. તેવી જ રીતે જ્ઞાન આત્માનું કરણ હોવા છતાં પણ આત્માથી સર્વથા ભિન્ન નથી. તે આત્માનો સ્વભાવ છે તેથી આત્માથી અભિન્ન છે. અહીં કોઈને શંકા થાય કે જો આત્મા અને જ્ઞાન અભિન્ન છે તો તે બેની વચ્ચે કર્તકરણભાવ કેવી રીતે ઘટે? જેમ સાપ પોતે જ પોતાને લપેટે છે તેમ આત્મા પોતાના દ્વારા જ પોતે પોતાને જાણે છે. તે જ આત્મા જાણનારો છે અર્થાત્ કર્તા છે અને તે જ આત્મા વડે તે જાણે છે અર્થાત્ તે જ આત્મા કરણ પણ છે. કર્તા અને કરણનો આ સંબંધ પર્યાયભેદે છે. આત્માના જ પર્યાયો કરણ બને છે. તે પર્યાયોને છોડી બીજું કોઈ કરણ નથી. તેથી આત્મા ચૈતન્યસ્વરૂપ છે. આત્મા “પરિણામી છે. આ વિશેષણ તે લોકોના મતનું ખંડન કરવા માટે છે જેઓ આત્માને ચૈતન્યસ્વરૂપ માનીને પણ તેને એકાન્તપણે નિત્ય અને શાશ્વત માને છે. તેઓ કહે છે કે આત્મા અપરિણામી છે – અપરિવર્તનશીલ છે. ઉદાહરણ તરીકે સાંખ્ય દર્શનને લો. તે પુરુષને ફૂટસ્થનિત્ય માને છે. જે કંઈપણ પરિવર્તન થાય છે તે પ્રકૃતિમાં જ થાય છે. પુરુષ ન તો કયારેય બદ્ધ થાય છે કે ન તો મુક્ત. બન્ધન અને મુક્તિરૂપ જેટલાં પણ પરિણામ છે તે બધાં પ્રકૃત્યાશ્રિત છે, પુરુષાશ્રિત નથી. પુરુષ નિત્ય છે એટલે જન્મ, મરણ આદિ જેટલાં પણ પરિણામ છે તેનાથી અત્યન્ન ભિન્ન છે, તેને બિલકુલ સ્પર્શતાં નથી. તેથી પુરુષ અપરિણામી છે. પરિણામવાદનું સમર્થન કરનારું જૈનદર્શન કહે છે કે જો પ્રકૃતિ જ બદ્ધ થતી હોય અને મુક્ત થતી હોય તો તે શું છે જેના કારણે પ્રકૃતિ બદ્ધ થાય છે અને જેના અભાવમાં પ્રકૃતિ મુકત થાય છે? પ્રકૃતિથી અતિરિક્ત કોઈ એવું તત્ત્વ તો છે નહિ જેને સાંખ્ય દર્શન સ્વીકારતું હોય. તેથી પ્રકૃતિ કોઈ અન્ય તત્ત્વથી તો બદ્ધ થઈ શકતી નથી. જો પ્રકૃતિ પોતે પોતાની મેળે જ બદ્ધ થતી હોય અને પોતે પોતાની મેળે જ મુક્ત થતી હોય તો બન્ધન અને મુક્તિમાં કોઈ અન્તર નહિ રહે કેમ કે પ્રકૃતિ હમેશાં પ્રકૃતિ જ છે. તે તેવી ને તેવી જ રહેશે કેમ કે તેમાં ભેદ કરનાર કોઈ અન્ય કારણ તો છે નહિ. અખંડ તત્ત્વમાં પોતાની મેળે જ અવસ્થાભેદ થઈ શકતો નથી. જો માનવામાં આવે કે પુરુષ ૧. સર્વ માત્માનાત્મના વેષ્ટતા સ્યાદ્વાદમંજરી, પૃ. ૪૩. ૨. તસ્નાત્ર વધ્યતે નમુતે નાઈપ સંસરત શત્ ા સંસતિ વધ્યતે મુખ્યત્વે નાનાશ્રયા પ્રતિઃ | સાંખ્યકારિકા, ૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy