________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
આચાર્ય હેમચન્દ્ર નામ તો પસંદ કરે છે દષ્ટાન્નાભાસ પરંતુ ઉદાહરણાભાસના બદલે તે નામ કેમ પસંદ કર્યું તેનો યુક્તિસિદ્ધ ખુલાસો પણ કરી દે છે.' દૃષ્ટાન્નાભાસના નિરૂપણમાં આચાર્ય હેમચન્દ્રની ધ્યાન દેવા જેવી મહત્ત્વની ત્રણ વિશેષતાઓ છે જે તેમની પ્રતિભાની સૂચક છે. તે ત્રણ વિશેષતાઓ નીચે પ્રમાણે છે.
(૧) તેમણે સૂત્રરચના, ઉદાહરણ આદિમાં જો કે ધર્મકીર્તિને આદર્શ તરીકે રાખ્યા છે તેમ છતાં વાદિદેવની જેમ પૂરેપુરું અનુકરણ ન કરીને ધર્મકીર્તિના નિરૂપણમાં થોડુંક બુદ્ધિસિદ્ધ સંશોધન પણ કર્યું છે. ધર્મક ર્તિએ અનન્વય અને અવ્યતિરેક એવા જે ભેદ દર્શાવ્યા છે તેમને આચાર્ય હેમચન્દ્ર અલગ માનતા નથી અને કહે છે કે બાકીના આઠ આઠ ભેદ જ અનન્વય અને અવ્યતિરેક રૂપ હોવાથી તે બન્નેનું પાર્થક્ય અનાવશ્યક છે (પ્રમાણમીમાંસા, ૨.૧.૨૭). આચાર્ય હેમચન્દ્રની આ દૃષ્ટિ બરાબર છે.
૪૩૧
(૨) આચાર્ય હેમચન્દ્ર ધર્મકીર્તિના જ શબ્દોમાં અપ્રદર્શિતાન્વય અને અપ્રદર્શિતવ્યતિરેક એવા બે ભેદ પોતાના સોળ ભેદોમાં દર્શાવ્યા છે (૨.૧.૨૭), પરંતુ આ બે ભેદોનાં ઉદાહરણોમાં ધર્મકીર્તિની અપેક્ષાએ વિચારપૂર્વક સંશોધન કર્યું છે. ધર્મકીર્તિએ પૂર્વવર્તી અનન્વય અને અવ્યતિરેક દૃષ્ટાન્નાભાસ જે ન્યાયપ્રવેશ આદિમાં છે તેમનું નિરૂપણ તો અપ્રદર્શિતાન્વય અને અપ્રદર્શિતવ્યતિરેક એવાં નવાં બે અન્વર્થ સ્પષ્ટ નામો રાખી કર્યું અને ન્યાયપ્રવેશ આદિના અનન્વય અને અવ્યતિરેક શબ્દોને જાળવી પણ રાખ્યા તથા તે નામો દ્વારા નવાં ઉદાહરણો દર્શાવ્યાં જે તે નામો સાથે મેળ ખાઈ શકે અને જે ન્યાયપ્રવેશ આદિમાં હતાં પણ નહિ. આચાર્ય હેમચન્દ્ર ધર્મકીર્તિની જ સંશોધિત દૃષ્ટિનો ઉપયોગ કરીને પૂર્વવર્તી દિનાગ, પ્રશસ્તપાદ અને
૧. ‘પાર્થાનુમાનપ્રસ્તાવાનુવાદરાયોષા Żતે વૃષ્ટાન્તપ્રમવત્વાનું દૃષ્ટીનોવા ત્યુષ્યન્તે ।” ~ પ્ર. મી.
૨.૧.૨૨
२. अनन्वयो यत्र विनान्वयेन साध्यसाधनयोः सहभावः प्रदर्श्यते । यथा घटे कृतकत्वमनित्यत्वं च दृष्टमिति । अव्यतिरेको यत्र विना साध्यसाधननिवृत्त्या तद्विपक्षभावो निदर्श्यते । यथा घटे મૂર્તત્ત્વમનિત્યત્ન ન દમિતિ । ન્યાયપ્રવેશ, પૃ. ૬-૭. નિત્ય: શોઽમૂર્તત્વાત્ અમ્નરવિિત......અનનુાત.......યવત્....અવ્યાવૃત્ત ......। પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૨૪૭.
3. अप्रदर्शितान्वयः .... अनित्यः शब्दः कृतकत्वात् घटवत् इति । अप्रदर्शितव्यतिरेको यथा अनित्यः શબ્દ: તાાાાવિિત । ન્યાયબિન્દુ, ૩.૧૨૭, ૧૩૫.
४. अनन्वयो...... यथा यो वक्ता स रागादिमान् इष्टपुरुषवत् । अव्यतिरेको यथा अवीतरागो वक्तृत्वात्, વૈધોવાતાળમ્, યત્રાવીતત્વ નાસ્તિ ન સ વા યથોપતલુન્ડ કૃત્તિ । ન્યાયબિન્દુ, ૩.૧૨૭,
૧૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org