SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પૃ. ૨૩૭ વિપરીત' – જેવી રીતે પ્રશસ્તપાદમાં વિરુદ્ધના સામાન્ય સ્વરૂપનું વર્ણન છે પણ વિશેષ ભેદોનું નથી તેવી જ રીતે ન્યાયસૂત્ર અને તેના ભાષ્યમાં પણ વિરુદ્ધનું સામાન્યરૂપે વર્ણન છે કિન્તુ વિશેષરૂપે નથી. આટલું સામ્ય હોવા છતાં પણ સભાષ્ય ન્યાયસૂત્ર અને પ્રશસ્તપાદમાં ઉદાહરણ અને પ્રતિપાદનનો ભેદ સ્પષ્ટ છે. એવું જણાય છે કે ન્યાયસૂત્રની અને પ્રશસ્તપાદની વિરુદ્ધવિષયક વિચારપરંપરા એક નથી. ન્યાયપ્રવેશમાં (પૃ. ૫) વિરુદ્ધના ચાર ભેદો ઉદાહરણ સાથે દર્શાવ્યા છે. સંભવતઃ માઠરને (કારિક ૫) પણ તે ભેદો અભિપ્રેત છે. ન્યાયબિન્દુમાં (રૂ. ૮૩-૮૮) વિરુદ્ધના પ્રકારો બે જ ઉદાહરણોમાં સમાપ્ત કરવામાં આવ્યા છે અને ત્રીજો ઇષ્ટવિઘાતકૃત” નામનો એક વધુ ભેદ હોવાની આશંકા (૩. ૮૯-૯૪) કરીને તેનો સમાવેશ અભિપ્રેત બે ભેદોમાં જ કરી દેવામાં આવ્યો છે. ઇષ્ટવિઘાતકૃત નામ ન્યાયપ્રવેશમાં નથી પરંતુ એ નામથી જે ઉદાહરણ ન્યાયબિન્દુમાં (૩. ૯૦) આપવામાં આવ્યું છે તે ન્યાયપ્રવેશમાં (પૃ. ૫) વિદ્યમાન છે. જણાય છે કે ન્યાયપ્રવેશમાં જે પરથ: વક્રુરીયઃ' એ ધર્મવિશેષવિરુદ્ધનું ઉદાહરણ છે તેનો કોઈ ઈષ્ટવિઘાતકૃત નામથી વ્યવહાર કરતા હશે જેનો નિર્દેશ કરીને ધર્મકીર્તિએ અન્તર્ભાવ કર્યો છે. જયન્ત (ન્યાયમંજરી, પૃ. ૬૦૦-૬૦૧) ગૌતમની જ વ્યાખ્યા કરતાં ધર્મવિશેષવિરુદ્ધ અને ધર્મિવિશેષવિરુદ્ધ આ બે તીર્થાન્તરીય વિરુદ્ધભેદોનું સ્પષ્ટ ખંડન કર્યું છે જે ન્યાયપ્રવેશવાની પરંપરાનું જ ખંડન જણાય છે. ન્યાયસારમાં (પૃ. ૯) વિરુદ્ધના ભેદોનું વર્ણન સૌથી અધિક પણ છે અને જટિલ પણ છે. તેમાં સપક્ષના અસ્તિત્વવાળા ચાર, સપક્ષના નાસ્તિત્વવાળા ચાર એવા વિરુદ્ધના આઠ ભેદો જે ઉદાહરણો સાથે છે તે જ ઉદાહરણો સાથે તે જ આઠ ભેદ પ્રમાણનયતત્ત્વાલકની વ્યાખ્યામાં પણ છે (૬. પર-પ૩). જો કે પરીક્ષામુખની વ્યાખ્યા માર્તડમાં (પૃ. ૧૯૨A) ન્યાયસારવાળા તે જ આઠ ભેદ છે તેમ છતાં કોઈ કોઈ ઉદાહરણમાં થોડોક ફેરફાર થઈ ગયો છે. ૧. સિદ્ધાતમષ્યવેત્ય તક્રિોધી વિરુદ્ધ: ન્યાયસૂત્ર, ૧.૨.૬. યથા સોડ્ય વિશે વ્યક્તિ नित्यत्वप्रतिषेधात्, अपेतोऽप्यस्ति विनाशप्रतिषेधात्, न नित्यो विकार उपपद्यते इत्येवं हेतुः'व्यक्तेरपेतोऽपि विकारोऽस्ति' इत्यनेन स्वसिद्धान्तेन विरुध्यते । यदस्ति न तदात्मलाभात् प्रच्यवते, अस्तित्वं चात्मलाभात् प्रच्युतिरिति विरुद्धावेतौ धौं न सह सम्भवत इति । सोऽयं हेतुर्य સિદ્ધાન્તમાં પ્રવર્તત તમેવ ચીન્ત તિ ન્યાયભાષ્ય, ૧.૨.૬. વો ઢબેડવિચનાનો ઉપ तत्समानजातीये सर्वस्मिन्नास्ति तद्विपरीते चास्ति स विपरीतसाधनाद्विरुद्धः यथा यस्माद्विषाणी તાશ્વ તિ ા પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૨૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy