SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ ૪૦૭ અનુમિતિપ્રયોજક માનીને પ્રાણાદિહેતુને સદ્ભુતુ માને છે. તેનું સમર્થન નૈયાયિકોની જેમ જૈનતાર્કિકોએ બહુ વિસ્તારથી કર્યું છે. આચાર્ય હેમચન્દ્ર પણ તેનું અનુસરણ કરે છે, અને કહે છે કે અન્વયના અભાવમાં પણ હેત્વાભાસ નથી થતો તેથી અન્વયને હેતુનું રૂપ ન માનવું જોઈએ. બૌદ્ધસમ્મત ખાસ કરીને ધર્મકીર્તિનિર્દિષ્ટ અન્વયસન્દેહનું અનૈકાન્તિકપ્રયોજકત્વરૂપે ખંડન કરતાં આચાર્ય હેમચન્દ્ર કહે છે કે વ્યતિરેકાભાવમાત્રને જ વિરુદ્ધ અને અનૈકાન્તિક બન્નેનો પ્રયોજક માનવો જોઈએ. ધર્મકીર્તિએ ન્યાયબિન્દુમાં વ્યતિરેકાભાવની સાથે અન્વયસન્દેહને પણ અનૈકાન્તિકતાનો પ્રયોજક કહ્યો છે, તેનો નિષેધ આચાર્ય હેમચન્દ્ર કરે છે. ન્યાયવાદી ધર્મકીર્તિના કોઈ પણ ઉપલબ્ધ ગ્રંથમાં, જેવું આચાર્ય હેમચન્દ્રે લખ્યું છે તેવું દેખાતું નથી કે વ્યતિરેકાભાવ જ બન્ને વિરુદ્ધ અને અનૈકાન્તિક યા બન્ને પ્રકારના અનૈકાન્તિકનો પ્રયોજક હોય એટલે ‘ન્યાયવાદ્રિનાપિ વ્યતિરેહામાવાવેલ હેત્વામાસાવુૌ' આ આચાર્ય હેમચન્દ્રનું કથન અસંગત થઈ જાય છે. ધર્મકીર્તિના કોઈ પણ ગ્રંથમાં આચાર્ય હેમચન્દ્રોક્ત આ ભાવનો ઉલ્લેખ ન મળે તો આચાર્ય હેમચન્દ્રના આ કથનનો અર્થ થોડી ખેંચતાણ કરીને આ જ કરવો જોઈએ કે ન્યાયવાદીએ પણ બે હેત્વાભાસ કહ્યા છે પરંતુ તેમનું પ્રયોજક રૂપ જેવું અમે માનીએ છીએ તેવું વ્યતિરેકાભાવ જ મનાવું જોઈએ કેમ કે તે અંશમાં કોઈને વિવાદ નથી, તેથી જ નિર્વિવાદપણે સ્વીકૃત વ્યતિરેકાભાવને જ ઉક્ત હેત્વાભાસદ્ધયનો પ્રયોજનક માનવો જોઈએ, અન્વયસંદેહને નહિ. અહીં એક વાત ખાસ લખી દેવી જોઈએ. તે એ કે બૌદ્ધ તાર્કિક હેતુના બૈરૂખનું સમર્થન કરતાં અન્વયને આવશ્યક એટલા માટે બતાવે છે કે તેઓ વિપક્ષાસત્ત્વરૂપ વ્યતિરેકનો સંભવ ‘સપક્ષે વ સત્ત્વ (સપક્ષમાં જ સત્ત્વ)' રૂપ અન્વય વિના માનતા નથી, તેઓ કહે છે કે અન્વય હોવાથી જ વ્યતિરેક ફલિત થાય છે, ભલે તે કોઈ વસ્તુમાં ફલિત થતો હોય કે અવસ્તુમાં. જો અન્વય ન હોય તો વ્યતિરેક પણ સંભવે નહિ. અન્વય અને વ્યતિરેક બન્ને રૂપ પરસ્પરાશ્રિત હોવા છતાં પણ બૌદ્ધ તાર્કિકોના મતે ભિન્ન જ છે. તેથી જ તેઓ વ્યતિરેકની જેમ અન્વય ઉપર પણ સરખો જ ભાર આપે છે. જૈન પરંપરા એવું નથી માનતી. તેના અનુસાર વિપક્ષવ્યાવૃત્તિરૂપ વ્યતિરેક १. केवलव्यतिरेकिणं त्वीदृशमात्मादिप्रसाधने परममस्त्रमुपेक्षितुं न शक्नुम इत्ययथाभाष्यमपि વ્યાવ્યાનું શ્રેય: । ન્યાયમંજરી, પૃ. ૫૭૮. તાત્પર્યટીકા, પૃ. ૨૮૩. કન્દલી, પૃ. ૨૦૪ ૨. અનયોરેવ ઢો રૂપયો: સન્દેહે નૈાન્તિઃ । ન્યાયબિન્દુ, ૩.૯૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy