SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અહિંસા, સત્ય આદિ આચારના વિષયોમાં પણ થયો છે તથાપિ આજ સુધીના નયવાદ અને અનેકાન્તવાદ વિષયક ગ્રન્થોમાં તેની મૂળ પ્રકૃતિનું સ્પષ્ટ દર્શન થાય છે કેમ કે નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, સામાન્ય, વિશેષ, અભિલાપ્યત્વ, અનિભિલાપ્યત્વ વગેરે તાત્વિક ચિન્તનમાં જ તે વાદ સમાપ્ત થઈ જાય છે. અનેકાન્ત દષ્ટિએ એક વસ્તુને નિત્યાનિત્ય આદિ દ્વિરૂપ માનનારા કેવળ જૈનો જ નથી પરંતુ મીમાંસક અને સાંખ્ય વગેરે પણ હતા. અને પ્રતિવાદી બૌદ્ધ વગેરે સ્યાદ્વાદનું ખંડન કરતી વખતે જૈનોની સાથે સાથે મીમાંસક, સાંખ્ય, આદિનાર પણ તાત્ત્વિક મન્તવ્યોનું ખંડન કરે છે. તેમ છતાં શંકર જેવા દાર્શનિકો પણ જૈનોને જ સ્યાદ્વાદી સમજે છે અને કહે છે, મીમાંસક સાંખ્ય વગેરેને નહિ. આનું એક કારણ તો એ જણાય છે કે જૈનદર્શનમાં સ્યાદ્વાદસ્થાપનવિષયક જેટલું અને જેવું પ્રચુર સાહિત્ય રચાયું તેવું મીમાંસક આદિ દર્શનોમાં રચાયું નથી. બીજું કારણ એ છે કે સાંખ્ય, યોગ આદિ દર્શનોમાં આત્મા જે તત્ત્વજ્ઞાનનો મુખ્ય ચિ વિષય છે તેને છોડીને જ પ્રકૃતિ, પરમાણુ આદિમાં નિત્યાનિત્યત્વનું ચિન્તન કરવામાં આવ્યું છે, જ્યારે જૈનદર્શનમાં જડની જેમ ચેતનમાં પણ તુલ્યરૂપે નિત્યાનિત્યત્વાદિનું સમર્થન કરવામાં આવ્યું છે. એવું જણાય છે કે જૈનેતર તાર્કિકોએ અનેકાન્તવાદનું જે ખંડન શરૂ કર્યું તે તો તે વાદને જૈનાચાર્યોએ પ્રાકૃત આગમોમાંથી સંસ્કૃત રૂપમાં અવતીર્ણ કર્યો ત્યાર પછી જ. વળી, એ પણ જણાય છે કે અનેકાન્તવાદનું ખંડન કરનારા જૈનેતર તાર્કિકોમાં સૌપ્રથમ બૌદ્ધ જ છે." બૌદ્ધ વિદ્વાનોએ અનેકાન્તવાદનું કરેલું ખંડન જોઈને જ વૈદિક १. तस्मादुभयहानेन व्यावृत्त्यनुगमात्मकः । पुरुषोऽभ्युपगन्तव्यः कुण्डलादिषु सर्पवत् ॥ न चाव સ્થાન્તરોત્યારે પૂર્વાન્ત વિનશ્યતિ | ઉત્તરાનુગુખત્વીનું સામાન્યાત્મનિ ની I શ્લોકવાર્તિક, આત્મ. શ્લોક ૨૮, ૩૦. તન મૂદ્રપુ ધર્મતક્ષાવસ્થામાં વ્યાપદ્યાતા યોગસૂત્ર, ૩.૧૩. યોગભાષ્ય, ૩.૧૩. પાતંજલ મહાભાષ્ય પૃ. ૫૮. ભર્તૃપ્રપંચ જે વેદાન્તી હતા તેમનો મત અનેકાન્ત નામથી પ્રસિદ્ધ હતો કેમ કે તે ભેદભેદવાદી અને જ્ઞાનકર્મસમુચ્ચયવાદી હતા. અશ્રુત વર્ષ ૩ અંક ૪ પૃ. ૮-૧૧. ૨. જ્યનાતચૈવ વૈવિગ્રોવને જો નામાંતિશય: પ્રોવિઝનથf: II તત્ત્વસંગ્રહ, કારિકા ૧૭૭૬. ૩. અથ વિવાનનાં નિરીતે (બ્રહીનૂત્રશરમાગ, ૨.૨.૩૩) – નૈમિત્રમવાતા બ્રહ્મસૂત્ર, - ૨.૨.૩૩થી. ૪. પ્રકૃતિને વિકૃતિઃ પુરુષસાંખ્યકારિક, ૩. યોગભાષ્ય, ૧.૨. ૫. સર્વોપયત્વે તંદ્ધિશનિવૃતેઃ | પતિ fધ રાતિ કિમુર્ણ પધાર્વતિ | પ્રમાણવાર્તિક, ૧.૧૮૩-૧૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy