SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જનિત્ય-કારણરહિત–માને છે. સાંખ્ય-યોગ અને તદનુગામી વેદાન્ત તેને પરમાણુરૂપ નહિ અને છતાં અણુરૂપ તો માને છે અને અન્ય પણ તથા તેની ઉત્પત્તિ પ્રાકૃતિક અહંકારતત્ત્વમાંથી યા અવિદ્યામાંથી માને છે. બૌદ્ધ અને જૈન પરંપરા અનુસાર મન ન તો વ્યાપક છે કે ન તો પરમાણુરૂપ. તે બન્ને પરંપરાઓ મનને મધ્યમપરિમાણવાળું અને જન્ય માને છે. બૌદ્ધ પરંપરા અનુસાર મન વિજ્ઞાનાત્મક છે અને તે ઉત્તરવર્તી વિજ્ઞાનોનું સમનત્તરકારણ પૂર્વવર્તી વિજ્ઞાનરૂપ છે. જૈન પરંપરા અનુસાર પૌગલિક મન તો એક ખાસ પ્રકારના સૂક્ષ્મતમ મનોવર્ગણાત્મક જડ દ્રવ્યોમાંથી ઉત્પન્ન થાય છે અને તે પ્રતિક્ષણ શરીરની જેમ પરિવર્તન પણ પામતું રહે છે જ્યારે ભાવન જ્ઞાનશક્તિ અને જ્ઞાનરૂપ હોવાથી ચેતનદ્રવ્યજન્ય છે. બધાં દર્શનોના મત અનુસાર મનનું કાર્ય ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ આદિ ગુણોની તથા તે ગુણોના અનુભવની ઉત્પત્તિ કરાવવાનું છે, ભલે પછી તે ગુણો કોઈના મતે આત્મગત હોય જેમ કે ન્યાય, વૈશેષિક, મીમાંસક, જૈન આદિના મતે, કે અન્તઃકરણ – બુદ્ધિના હોય જેમ કે સાંખ્યયોગ-વેદાન્ત આદિના મતે, કે સ્વગત જ હોય એમ કે બૌદ્ધ મતે. બહિરિન્દ્રિયજન્ય જ્ઞાનની ઉત્પત્તિમાં પણ મન નિમિત્ત બને છે અને બહિરિન્દ્રિયનિરપેક્ષ જ્ઞાનાદિ ગુણોની ઉત્પત્તિમાં પણ તે નિમિત્ત બને છે. બૌદ્ધમત સિવાય કોઈના પણ મતે ઇચ્છા, દ્વેષ, જ્ઞાન, સુખ, દુ:ખ, સંસ્કાર આદિ ધર્મ મનના નથી. વૈશેષિક, નૈયાયિક, મીમાંસક અને જૈન અનુસાર તે ગુણો આત્માના છે. પરંતુ સાંખ્યયોગ-વેદાન્ત મત અનુસાર તે ગુણો બુદ્ધિના અર્થાતુ અન્તઃકરણના જ છે. બૌદ્ધ દર્શન આત્મતત્ત્વ અલગ ન માનીને તેના સ્થાને નામ અર્થાત્ મનને જ માને છે, તેથી १. यस्मात् कर्मेन्द्रियाणि बुद्धीन्द्रियाणि च सात्त्विकादहंकारादुत्पद्यन्ते मनोऽपि तस्मादेव उत्पद्यते । માઠર, કારિકા ૨૭. २. विज्ञानं प्रतिविज्ञप्ति: मन आयतनं च तत् । षण्णामनन्तराऽतीतं विज्ञानं यद्धि तन्मनः ॥ અભિધર્મકોષ, ૧.૧૬-૧૭. તત્ત્વસંગ્રહ, કારિકા ૬૩૧. यत् यत्समनन्तरनिरुद्धं विज्ञानं तत्तन्मनोधातुरिति । तद्यथा स एव पुत्रोऽन्यस्य पित्राख्यां लभते तदेव फलमन्यस्य बीजाख्याम् । तथेहापि स एव चक्षुरादिविज्ञानधातुरन्यस्याश्रय इति मनोधात्वाख्यां लभते । य एव षड् विज्ञानधातव स एव मनोधातुः । य एव च मनोधातुस्त एव च षड् विज्ञानधातव इतीतरेतरान्तर्भावः ... योगाचारदर्शनेन तु षड्विज्ञानव्यतिरिक्तोऽप्यस्ति मनोधातुः । સ્ફટાર્થા, પૃ. ૪૦-૪૧, ૩. તHવત્તા ધ વૃત્તો નાત્મનઃ I સર્વદર્શનસંગ્રહ, પૃ. ૩૫ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy