SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ ૩૩૯ મીમાંસકનું (શ્લોકવાર્તિક, સૂત્ર ૨ શ્લોક ૧૧૦-૧૪૩. તત્ત્વસંગ્રહ, કારિકા ૩૧૨૪-૩૨૪૬ પૂર્વપક્ષ) માનવું છે કે યાગાદિનું પ્રતિપાદન કરવું અને તે દ્વારા ધર્માધર્માદિનું, કોઈ પુરુષવિશેષની અપેક્ષા રાખ્યા વિના, સ્વતંત્ર વિધાન કરવું એ જ વેદનું કાર્ય છે. આ સિદ્ધાન્તને સ્થિર રાખવા માટે કુમારિલે કહ્યું છે કે કોઈ ભલે ને ધર્માધર્મને છોડીને બાકી બધી વસ્તુને સાક્ષાત જાણી શકે પરંતુ ધર્માધર્મને વેદનિરપેક્ષ બનીને કોઈ સાક્ષાત જાણી શકતો નથી, પછી ભલે ને તે જાણનાર બુદ્ધ, જિન આદિ જેવો મનુષ્ય યોગી હોય, કે બ્રહ્મા, વિષ્ણુ આદિ જેવો દેવ હોય, કે પછી કપિલ, પ્રજાપતિ આદિ જેવો ઋષિ યા અવતારી હોય. કુમારિલનું કહેવું છે કે સર્વત્ર સર્વદા ધર્મમર્યાદા એકસરખી છે, જે સદા સર્વત્ર એકરૂપ વેદ દ્વારા વિહિત માનતાં જ સંગત બની શકે છે. બુદ્ધ વગેરે વ્યક્તિઓને ધર્મના સાક્ષાત્ પ્રતિપાદક માનતાં તેવી મર્યાદા સિદ્ધ થઈ શકતી નથી કારણ કે બુદ્ધ આદિ ઉપદેશક ક્યારેક, અર્થાત્ નિર્વાણ પ્રાપ્ત કર્યા પછી, નથી પણ રહેતા. જીવિતદશામાં પણ તે બધાં ક્ષેત્રોમાં પહોંચી શકતા નથી. બધા ધર્મોપદેશકોની એકવાક્યતા પણ સંભવતી નથી. આમ કુમારિબસાક્ષાત્ ધર્મશત્વનો નિષેધર કરીને પછી સર્વજ્ઞત્વનો પણ બધા બુદ્ધ વગેરે ઉપદેશકોમાં નિષેધ કરે છે. તે પુરાણોક્ત બ્રહ્મા વગેરે દેવોના સર્વજ્ઞત્વનો અર્થ પણ, જેવો ઉપનિષદોમાં દેખાય છે તેવો, કેવળ આત્મજ્ઞાન પરક કરે છે. બુદ્ધ, મહાવીર વગેરેના વિશે કુમારિલનું એ કથન પણ છે કે તેઓ વેદજ્ઞ બ્રાહ્મણ જાતિને ધર્મોપદેશ ન કરવાના અને વેદવિહીન १. नहि अतीन्द्रियार्थे वचनमन्तरेण अवगतिः सम्भवति, तदिदमुक्तम्-अशक्यं हि तत् पुरुषेण જ્ઞાતુશ્રુતે વવનાન્ ! શાબરભાષ્ય, ૧.૧.૨. શ્લોકવાર્તિકન્યારત્નાકર ટીકા, પૃ. ૭૯ कुड्यादिनिःसृतत्वाच्च नाश्वासो देशनासु नः । किन्नु बुद्धप्रणीताः स्युः किमु कैश्चिद् दुरात्मभिः । अदृश्यैः विप्रलम्भार्थं पिशाचादिभिरीरिताः । एवं यैः केवलं ज्ञानमिन्द्रियाद्यनपेक्षिणः । સૂક્ષ્માતીતવિવિષયં ગીવી પરિલ્પિતમ્ II શ્લોકવાર્તિક, સૂત્ર ૨, શ્લોક ૧૩૯-૪૧. યા वेदवादिभिरेव कैश्चिदुक्तम्-नित्य एवाऽयं वेदः प्रजापतेः प्रथममा'ज्ञानेनावबुद्धो भवतीति तदपि સર્વજ્ઞવવેવ નિરામિત્રાઉં - નિતિ | શ્લોકવાર્તિકન્યારત્નાકર ટીકા, સૂત્ર ૨. ૧૪૩.'' અથાપિ વેહત્વ બ્રહ્મવિષ્ણુમાં : સર્વજ્ઞાનમયાદેવાતાર્વર્ડ્સ મનુષસ્થ વિમ્ II તત્ત્વસંગ્રહ, કારિકા ૩:૦૮, ૩૨૧૩-૧૪. ૩. સાનં વૈવૈમિતિ યોગવિશાળઃ શહૂર શૂયતે સોfપ જ્ઞાનવનાત્મવિયા II તત્ત્વસંગ્રહ, કારિકા ૩૨૦૬. ४. शाक्यादिवचनानि तु कतिपयदमदानादिवचनवर्जं सर्वाण्येव समस्तचतुर्दशविद्यास्थानविरुद्धानि त्रयीमार्गव्युत्थितविरुद्धाचरणैश्च बुद्धादिभिः प्रणीतानि । त्रयीबाह्येभ्यश्चतुर्थवर्णनिरवसितप्रायेभ्यो ચામૂખ્ય સમfપતાનીતિ ન વેવમૂત્રત્વેન સંપાવ્યન્ત તત્તવાર્તિક, પૃ. ૧૧૬. તત્ત્વસંગ્રહ, કારિકા, ૩૨૨૬-૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy