SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જૈન – જો વાદી નિર્દોષ સાધનનો પ્રયોગ કરી પોતાનો પક્ષ સિદ્ધ કરે તો અને ત્યારે પ્રતિવાદી માટે અદોષોભાવન (અર્થાત વાદીના સાધનમાં દોષનું ઉદ્દભાવન ન કરવું કે દોષાભાસનું ઉલ્કાવન કરવું તે) નિગ્રહસ્થાન બનશે એ તો અમે પણ સ્વીકારીએ છીએ, પરંતુ અન્યથા તે નિગ્રહસ્થાન નહિ બને. વચનાધિષ્પ દોષનો પ્રતિષેધ તો અમે જૈનોએ પહેલાં કરી જ દીધો છએ. તમે બૌદ્ધો પાંચ અવયવોના પ્રયોગમાં વચનાધિક્ય નિગ્રહસ્થાન છે એમ કહેશો તો તમારા ત્રણ અવયવોના પ્રયોગમાં તૈયાયિકો ન્યૂનતા નામનું નિગ્રહસ્થાન છે એમ કહેશે. તમારા બૌદ્ધોના અને નૈયાયિકોના પક્ષોમાં તર્કની દૃષ્ટિએ કોઈ વિશેષતા નથી. પ્રતિજ્ઞા વગેરે પાંચે અનુમાનનાં અંગો છે, અવયવો છે કારણ કે અક્ષપાદ મુનિએ કહ્યું છે, “પ્રતિજ્ઞા હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમના અનુમાનના અવયવો છે.” [ન્યાયસૂત્ર, ૧.૧.૩૨.]. આમાંથી કોઈ પણ અવયવનું કથન ન કરવાથી ન્યૂનતા નામના દોષની આપત્તિ આવે જ, કારણ કે અક્ષપાદે કહ્યું છે, “પાંચમાંથી કોઈ પણ અવયવથી હીન પ્રયોગ પણ ન્યૂનતા નામનો દોષ છે” [ન્યાયસૂત્ર. ૫.૨.૧૨]. આમ જય-પરાજયની વ્યવસ્થાના જે આધાર અમે જૈનો પહેલાં જણાવી ગયા છીએ – સ્વપક્ષની સિદ્ધિ અને અસિદ્ધિ – તેના સિવાય બીજો કોઈ હોઈ શકે નહિ. હવે . આ ચર્ચાની સમાપ્તિ અહીં કરવામાં આવે છે. (૩૫) 110. મયં પ્રાપુશ્ચતુર વા: વિતંત્રીનવૂનમણૂપેક્ષતેડતdल्लक्षणमत्रावश्याभिधातव्यं यतो नाविज्ञातस्वरूपस्यास्यावलम्बनं जयाय प्रभावति न चाविज्ञातस्वरूपं परपत्रं भेत्तुं शक्यमित्याह 110. પૂર્વોક્ત ચાર અંગોવાળો વાદ કયારેક ક્યારેક પત્રના આલંબનની પણ અપેક્ષા રાખતો હતો અર્થાત પત્રના આધારે પણ ચાલતો હતો. તેથી અહીં પત્રનું લક્ષણ અવશ્ય કહેવું જોઈએ કારણ કે જ્યાં સુધી પ્રત્રનું સ્વરૂપ જાણ્યું ન હોય ત્યાં સુધી પત્રનું અવલંબન વિજય અપાવી શકતું નથી. વળી, પત્રનું સ્વરૂપ જાણ્યા વિના પ્રતિપક્ષના પત્રનું ભેદન (ખંડન) પણ કરી શકાતું નથી. આ કારણે પત્રનું સ્વરૂપ આચાર્ય જણાવે ૧. પ્રાપ્ત બધી હસ્તપ્રતોમાં ગ્રંથ એકાએક અહીં જ અટકી જાય છે. આ દર્શાવે છે કે આચાર્ય તેમની આ અંતિમ કૃતિને પૂરી રચી શક્યા લાગતા નથી. તેમ છતાં જેટલો ભાગ ઉપલબ્ધ છે તે તર્કશાસ્ત્રનો લગભગ પૂર્ણ અને મહત્ત્વનો ભાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy