SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ૨૬૭ કારણે કોઈ સમ્યફ ઉત્તર સૂઝે નહિ તો એકાત્ત પરાજય કરતાં તો જય-પરાજય અંગે સંદેહ બન્યો રહે એ વધુ સારું છે એમ વિચારી આંખમાં ધૂળ નાખવા સમાન અસત્ ઉત્તરોનો પ્રયોગ કરવો એ દોષાવહ નથી. સમાધાન – ના, એમ કહેવું યોગ્ય નથી. એવો જાતિપ્રયોગ અપવાદરૂપ છે, [નિયમ નથી). તેથી તેના આધારે એક જુદા પ્રકારની કથાનું સમર્થન ન કરી શકાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અનુસાર કદાચિત વાદમાં જ અસત્ ઉત્તરનો પ્રયોગ કરી દેવામાં આવે તો શું એટલાથી તે વાદકથા અલગ પ્રકારની કથા બની જશે? તેથી જલ્પ અને વિતંડાને છોડી એક માત્ર વાદ જ કથા કહેવડાવાને યોગ્ય છે, એ સિદ્ધાન્ત સ્થાપિત થયો. (૩૦) 72. वादश्च जयपराजयावसानो भवतीति जयपराजययोर्लक्षणमाह स्वपक्षस्य सिद्धिर्जयः ॥३१॥ 72. જય અને પરાજય થતાં વાદ પૂરો થાય છે, સમાપ્ત થાય છે. તેથી આચાર્ય જય અને પરાજયનું લક્ષણ કહે છે પોતાના પક્ષની સિદ્ધિ થઈ જવી તે જય છે. (૩૧) 73. वादिनः प्रतिवादिनो वा या स्वपक्षस्य सिद्धिः सा जयः । सा च स्वपक्षसाधनदोषपरिहारेण परपक्षसाधनदोषोद्भावनेन च भवति । स्वपक्षे साधनमब्रुवन्नपि प्रतिवादी वादिसाधनस्य विरुद्धतामुद्भावयन् वादिनं जयति, विरुद्धतोद्भावनेनैव स्वपक्षे साधनस्योक्तत्वात् । यदाह-"विरुद्धं हेतुमुद्भाव्य વા િનયતીતા" તિ રૂશા __ असिद्धिः पराजयः ॥३२॥ 73. વાદી કે પ્રતિવાદીનો પોતાનો જે પક્ષ છે તેની સિદ્ધિ થઈ જવી તે તેનો જય છે. સ્વપક્ષની સિદ્ધિ ત્યારે થાય છે જ્યારે પોતાના પક્ષના સાધનમાં પ્રતિવાદી દ્વારા ઉભાવિત દોષોનો પરિહાર કરવામાં આવે અને પરપક્ષના સાધનમાં દોષોનું ઉદ્દભાવન કરવામાં આવે. હા, પ્રતિવાદી જો વાદીના સાધનમાં વિરુદ્ધતા દોષનું ઉદ્દભાવન કરે તો તે પોતાના પક્ષની સિદ્ધિમાં સાધનનો પ્રયોગ કર્યા વિના પણ વાદી ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે. પરપક્ષમાં વિરુદ્ધતા દોષનું ઉદુભાવન કરવું એ જ એક રીતે સ્વપક્ષમાં સાધનનો પ્રયોગ કરવા બરાબર છે. કહ્યું પણ છે, ‘વિરુદ્ધ હેતુ વિરુદ્ધ છે એમ વિરુદ્ધતા દોષનું ઉભાવન કરીને વાદીને પ્રતિવાદી જીતી લે છે.” (૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy