SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ૨૫૫ હોવાથી શબ્દ અનિત્ય હોય તો ઘટની સમાન તે મૂર્ત પણ હોવો જોઈએ. જો તે ઘટની સમાન મૂર્ત ના હોય તો તે ઘટની સમાન અનિત્ય પણ ન હો. (૪) અપકર્ષસમા—— અપકર્ષ (ન્યૂનતા) દર્શાવીને નિરાસ કરવો તે અપકર્ષસમા જાતિ છે. ‘શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે, ઘટની જેમ' એમ કહેવામાં આવતાં આનું આ પ્રમાણે ખંડન કરવું તે અર્પસમા જાતિ છે— ‘ઘટ કૃતક હોવા સાથે શ્રાવણ નથી તો તે જ પ્રમાણે શબ્દ પણ શ્રાવણ ન હોવો જોઈએ. જો શબ્દ ઘટની જેમ અશ્રાવણ ન હોય તો તે ઘટની જેમ અનિત્ય પણ ન હો. અહીં શબ્દમાં શ્રાવણત્વ ધર્મની ન્યૂનતાની આપત્તિ આપી ખંડન કરવામાં આવ્યું છે. (૫-૬) વર્ણસમા-અવર્ણસમા વર્ણ અને અવર્ણ દ્વારા નિરાસ કરવો તે ક્રમશઃ વર્ણસમા જાતિ અને અવર્ણસમા જાતિ છે. ખ્યાપનીય અર્થાત્ સાધ્ય (જેને સિદ્ધ કરવાનો હોય તે) ધર્મ વર્જ્ય છે. તેનાથી વિપરીત જે સિદ્ધ ધર્મ હોય તે અવર્જ્ય છે. સાધ્યધર્મીનો (પક્ષનો) ધર્મ અને દૃષ્ટાન્તનો ધર્મ વિપરીત છે એ દર્શાવવું વર્ણસમા જાતિ અને અવર્ણસમા જાતિ છે. [‘શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે, ઘટની જેમ’ આ પ્રયોગમાં સાધ્યધર્મી (પક્ષ) શબ્દ છે અને ઘટ દૃષ્ટાન્ત છે. પક્ષમાં જે ધર્મ સિદ્ધ કરવાનો હોય તે ધર્મ (અનિત્યત્વ) અને દૃષ્ટાન્તનો ધર્મ (અનિત્યત્વ) એક જ હોવો જોઈએ. પરંતુ ખંડન કરનાર કહે છે કે તે ધર્મ એક નથી, કારણ કે પક્ષનો ધર્મ અનિત્યત્વ હજુ સિદ્ધ કરવાનો છે જ્યારે દૃષ્ટાન્તનો ધર્મ અનિત્યત્વ તો સિદ્ધ છે. એટલે જેવું પક્ષનું અનિત્યત્વ છે તેવું દૃષ્ટાન્તનું નથી અને જેવું દૃષ્ટાન્તનું અનિત્યત્વ છે તેવું પક્ષનું નથી.] તેનું દૃષ્ટાન્ત જેવા કૃતકત્વ આદિ ધર્મો શબ્દના (પક્ષના) છે તેવા ધર્મો ઘટના (દષ્ટાન્તના) નથી અને જેવા કૃતકત્વ આદિ ધર્મો ઘટના (દૃષ્ટાન્તના) છે તેવા ધર્મો શબ્દના (પક્ષના) નથી. -- (૭) વિકલ્પસમા – -ધર્માન્તરનો વિકલ્પ કરીને નિરાસ કરવો તે વિકલ્પસમા જાતિ છે. ઉદાહરણ — ‘શબ્દ અનિત્ય છે, કારણ કે તે કૃતક છે’ આવા પ્રયોગનું ખંડન કરતાં કોઈ કહે છે ‘કૃતક પદાર્થોમાં કેટલાક રજાઈ, ગાદલું જેવા પદાર્થો પોચા દેખ્યા છે અને કેટલાક કુહાડી જેવા પદાર્થો કઠિન દેખ્યા છે, તેવી જ રીતે કૃતક પદાર્થોમાં કેટલાક ઘટ જેવા પદાર્થો અનિત્ય હશે અને કેટલાક શબ્દ જેવા પદાર્થો નિત્ય હશે.’ ― - (૮) સાધ્યસમા · સાધ્યની સાથે સમાનતા દર્શાવી નિરાસ કરવો તે સાધ્યસમા જાતિ છે. ઉદાહરણ - જો જેવો ઘટ (દૃષ્ટાન્ત) છે તેવો જ શબ્દ (સાધ્યધર્મી) હોય તો એનો અર્થ એ થયો કે જેવો શબ્દ છે તેવો જ ઘટ છે. આમ જ્યારે બન્ને સરખા છે ત્યારે શબ્દ સાધ્ય હોય તો ઘટ પણ સાધ્ય હોવો જોઈએ અને બન્ને સાધ્ય હોય તો એક સાધ્ય બીજા સાધ્યનું દૃષ્ટાન્ત કેવી રીતે બની શકે ? જો બન્ને સરખા ન હોય તો બન્ને એકબીજાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy