SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા (નિગમનને)પ્રતિજ્ઞા તરીકે કહેવામાં આવે છે ત્યારે ‘તેનો સાધક હેતુ ક્યો?’ એવી આશંકા થતાં ‘અનિત્યત્વ હોય તો જ કૃતકત્વ ઘટે' અથવા ‘કૃતકત્વ અન્યથા (અનિત્યત્વ વિના) ન ઘટે’ એવું વચન આશંકાના ઉત્તરમાં રજૂ કરવામાં આવે છે. તેથી વિષયને દર્શાવવાનું આ પ્રયોજન પ્રતિજ્ઞાવચનની આવશ્યકતા જણાવે છે. (૭) ૨૨૪ 17. ननु यत् कृतकं तदनित्यं यथा घटः, कृतकश्च शब्द इत्युक्ते गम्यत एतद् अनित्यः शब्द इति, तस्य सामर्थ्यलब्धत्वात्, तथापि तद्वचने पुनरुक्तत्वप्रसङ्गात्, “अर्थादापन्नस्य स्वशब्देन पुनर्वचनं पुनरुक्तम्” [न्यायसू. ५. २. १५] । आह च- " डिण्डिकरागं परित्यज्याक्षिणी निमील्य चिन्तय तावत् किमियता प्रतीतिः स्यान्न वेति, भावे किं प्रपञ्चमालया" [हेतु.. ર. ૨] ત્યાર गम्यमानत्वेऽपि साध्यधर्माधारसन्देहापनोदाय धर्मिणि पक्षधर्मोपसंहारवत् तदुपपत्तिः ॥८ ॥ - 17. aist જે હોય છે તે અનિત્ય હોય છે, જેમકે ઘટ, શબ્દ પણ કૃતક કૃતક છે’ એટલું કહેતાં જ ‘શબ્દ અનિત્ય છે’ એ નિગમનનું જ્ઞાન થઈ જાય છે કારણ કે તે સામર્થ્યથી જ (અર્થાત્ પ્રતિજ્ઞાવચનના પ્રયોગ વિના જ) પ્રાપ્ત થઈ જાય છે, તેમ છતાં પણ જો ‘શબ્દ અનિત્ય છે' એમ પ્રતિજ્ઞાવચન દ્વારા શબ્દોમાં કહેવામાં આવે તો પુનરુક્તિદોષની આપત્તિ આવે. કહ્યું પણ છે, “જે વાત અર્થના સામર્થ્યથી જ્ઞાત થઈ ગઈ હોય તેને તેના વાચક શબ્દો દ્વારા પુનઃ કહેવી તે પુનરુક્તિ છે” [ન્યાયસૂત્ર ૫.૨.૧૫]. બોદ્ધ તાર્કિક ધર્મકીર્તિએ કહ્યું પણ છે, “મૂર્ખની જેમ ખોટો વિરોધ કરવા માટે બડબડાટ કરવામાં રાગ રાખવાનું છોડી બે આંખો બંધ કરી શાંતિથી વિચારો કે અમે જેટલા અવયવોવાળો ન્યાયપ્રયોગ રજૂ કર્યો છે તેટલાથી જ [નિગમનની] પ્રતીતિ થાય છે કે નહિ. જો થતી હોય તો પછી [પ્રતિજ્ઞાવચનનો પ્રયોગ કરી] વિસ્તાર કરવાથી શો લાભ ?’ [હેતુબિન્દુ,પરિચ્છેદ ૧]. આ બૌદ્ધ શંકાના ઉત્તરમાં આચાર્ય કહે છે— જેમ સાધનરૂપ ધર્મનો પક્ષરૂપ ધર્મીમાં ઉપસંહાર કરવામાં આવે છે તેમ સાધ્યરૂપ ધર્મના આધાર અંગેના શક્ય સંદેહનું નિરાકરણ કરવા માટે અર્થસામર્થ્યથી [નિગમનનું] જ્ઞાન થઈ જતું હોવા છતાં પ્રતિજ્ઞા [તરીકે તેનું પૂર્વવચન] ઘટે છે, ઉચિત છે. (૮) 18. साध्यमेव धर्मस्तस्याधारस्तस्य सन्देहस्तदपनोदाय - यः कृतकः सोऽनित्य इत्युक्तेऽपि धर्मिविषयसन्देह एव- किमनित्यः शब्दो घटये वेति ?, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy