SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ તેવી જ રીતે કારણ તે જ છે જે કાર્યને અવશ્ય ઉત્પન્ન કરે. જો કારણના હોવા છતાં પણ કાર્યની ઉત્પત્તિ ન થાય તો તેને કારણ ન કહેવાય.] આ દૃષ્ટિએ કાર્યક્ષેતુ અને કારણહેતુમાં કોઈ અન્તર નથી – બન્ને હેતુઓ અવ્યભિચારી છે. વળી, વર્તમાન રસ દ્વારા એકકારણસામગ્રીનું અનુમાન કરી પછી તે અનુમાન દ્વારા વર્તમાન રૂપનું અનુમાન સ્વીકારનાર બૌદ્ધ તાર્કિક કારણહેતુનો સ્વીકાર કરવો જ જોઈએ. [અર્થાતુ, બૌદ્ધ વર્તમાનકાલીન રસ દ્વારા તેની ઉત્પાદક સામગ્રીનું અનુમાન કરે છે. તે સામગ્રી પૂર્વેક્ષણવર્તી રસ અને રૂપાદિથી ઘટિત છે, કારણ કે પૂર્વવર્તી રસ વર્તમાનકાલીન રસનું ઉપાદાનકારણ છે અને પૂર્વવર્તી રૂપાદિ વર્તમાનકાલીન રસનાં સહકારિકારણો છે. વર્તમાનકાલીન રસ દ્વારા પૂર્વવર્તી રસ, રૂપ આદિનું અનુમાન કરવું એ કાર્ય ઉપરથી કારણનું અનુમાન છે. ત્યારબાદ પેલાં પૂર્વવર્તી રૂપ આદિથી વર્તમાનકાલીન રૂપનું અનુમાન કરવામાં આવે છે. આ થયું કારણ દ્વારા કાર્યનું અનુમાન. આમ બૌદ્ધો પણ કારણ ઉપરથી કાર્યનું અનુમાન કરે છે. એટલે તેમણે કારણહેતુનો સ્વીકાર કરવો જોઈએ.] કહ્યું પણ છે, “જેમ ધૂમના કારણમાં ધૂમસહચર ઇંધનવિકારના જનસ્વરૂપ જે ધર્મ છે તેના અનુમાન દ્વારા ધૂમથી ધૂમસહચર ઇંધનવિકારનું અનુમાન થાય છે તેમ રસના કારણમાં રસસહચર રૂપાદિના જનકન્વરૂપ જે ધર્મ છે તેના અનુમાન દ્વારા રસથી રસસહચર રૂપાદિનું અનુમાન થાય છે.” [પ્રમાણવાર્તિક, ૧.૧૦]સિંક્ષેપમાં, બૌદ્ધ મતે પણ જ્યારે વર્તમાન રસ ઉપરથી વર્તમાન રૂપનું અનુમાન કરવામાં આવે છે ત્યારે ખરેખર નીચે મુજબ પ્રક્રિયા થાય છે – સૌપ્રથમ વર્તમાન રસ અને રૂપની જે એક જ કારણ સામગ્રી છે તેનું અનુમાન વર્તમાન રસ ઉપરથી થાય છે. આ થયું કાર્ય ઉપરથી કારણનું અનુમાન. ત્યાર પછી અનુમિત એકકારણસામગ્રી ઉપરથી વર્તમાનરૂપનું અનુમાન થાય છે. આ થયું કારણ ઉપરથી કાર્યનું અનુમાન.] 43. ર ર વયપિ થી વિત્ #ારી હેતુત્વે ઘૂમ: ! પિ तु यस्य न मन्त्रादिना शक्तिप्रतिबन्धो न वा कारणान्तरवैकल्यम् । तत् कुतो विज्ञायत इति चेत्; अस्ति तावद्विगुणादितरस्य विशेषः । तत्परिज्ञानं तु प्रायः पांशुरपादानामप्यस्ति । यदाहु: - “गम्भीरगर्जितारम्भनिभिन्नगिरिगह्वराः ।। દિક્ષિતા વિશોત્તાવિદ્યા: ” [ચાય. પૃ. ૨૨૧] "रोलम्बगवलव्यालतमालमलिनत्विषः । વૃઝિંખન્નરન્તીદ નૈવંપ્રયા: પોપુર: "[ચાય. પૃ. ૨૨૬] તિા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy