SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ગમક બની જાય. [અહીં ‘કાગડાનું કાળાપણું' હેતુ છે અને તે પક્ષમાં અર્થાત્ મહેલમાં રહેતો નથી. તેથી તે હેતુ સાધ્યનો ગમક નથી બનતો. જો પક્ષધર્મતાના અભાવમાં પણ હેતુને ગમક માનવામાં આવે તો આ હેતુ પણ ગમક બની જશે.]. હેમચન્દ્રાચાર્ય – ના, એવું નથી, કારણ કે પક્ષધર્મતા ન હોવા છતાં પણ જો સાધ્યાવિનાભાવ હોય તો જ હેતુ ગમક બને છે એ પ્રમાણે અમે સ્વીકાર્યું છે. અહીં (આ અનુમાનના હેતુમાં) સાધ્યાવિનાભાવ નથી એટલે તે હેતુ ગમક નથી. તેથી અવિનાભાવને જ હેતુનું પ્રધાન લક્ષણ ગણવું જોઈએ. જો હેતુમાં અવિનાભાવ હશે તો ત્રરૂપ્ય ન હોવા છતાં હેતુ ગમક બનશે, અને આવું આપણે દેખ્યું પણ છે. વળી, હેતુનું ઐરૂપ્યલક્ષણ અવ્યાપક હોઈ તે લક્ષણ સંગત નથી. ઉપરાંત, બૌદ્ધોનું પ્રધાન અનુમાન છે– બધી વસ્તુઓ ક્ષણિક છે કારણ કે બધી વસ્તુઓમાં સત્ત્વ છે; અહીં સત્ત્વ હેતુમાં સપક્ષસત્ત્વ લક્ષણ નથી [કારણ કે બધી વસ્તુઓને પક્ષ બનાવી દીધી એટલે સપક્ષ તરીકે કોઈ વસ્તુ બચી જ નથી] તેમ છતાં બૌદ્ધો તેને ગમક તરીકે સ્વીકારે છે જ. તેથી કહ્યું પણ છે, “જ્યાં અન્યથાનુપપત્તિ (સાધ્યાવિનાભાવી છે ત્યાં ત્રિરૂપતાનું શું પ્રયોજન છે? [કંઈ જ પ્રયોજન નથી કારણ કે હેતુ અન્યથાનુપપત્તિના બળે જગમક બની જશે.] અને જ્યાં અન્યથાનુપપત્તિ નથી ત્યાં પણ ત્રિરૂપતાથી શો લાભ? કિંઈ જ લાભ નથી કારણ કે ત્રિરૂપતા હોવા છતાં પણ અન્યથાનુપપત્તિના અભાવમાં હેતુ ગમક બનતો નથી.] 34. તે પશ્ચર્લક્ષત્વિમ નૈયાયોરું પ્રત્યુ, તણાવ્યવિનાभावप्रपञ्चत्वात् । तथाहि-त्रैरूप्यं पूर्वोक्तम्, अबाधितविषयत्वम्, असत्प्रतिपक्षत्वं चेति पञ्च रूपाणि । तत्र प्रत्यक्षागमबाधितकर्मनिर्देशानन्तरप्रयुत्त बाधितविषयत्वं यथाऽनुष्णस्तेजोवयवी कृतकत्वात् घटवत् । ब्राह्मणेन सुरा पेया [द्रव] द्रव्यत्वात् क्षीरवत् इति । तन्निषेधादबाधितविषयत्वम् । प्रतिपक्षहेतुबाधितत्वं सत्प्रतिपक्षत्वं यथाऽनित्यः शब्दो नित्यधर्मानुपलब्धेः । अत्र प्रतिपक्षहेतुः - नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेरिति । तनिषेधादसत्प्रतिपक्षत्वम् । तत्र बाधितविषयस्य सत्प्रतिक्षस्य चाविनाभावाभावादविनाभावेनैव रूपद्वयमपि सङ्ग्रहीतम् । यदाह“ત્રાથવિનામાવયવિરોધાત્' [દેતુ. પર. ૪] રૂતિ પિ , સ્વત્નક્ષलक्षितपक्षविषयत्वाभावात् तद्दोषेणैव दोषद्वयमिदं चरितार्थं किं पुन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy