SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 141. ‘તમ્' કૃતિ તૃસ્થામાં પ્રમાણપાયાં જિયાયાં “સત્યાનું 'अर्थप्रकाशस्य' फलस्य 'सिद्धेः' व्यवस्थापनात् । एकज्ञानगतत्वेन प्रमाणफलयोरभेदो, व्यवस्थाप्यव्यवस्थापकभावात्तु भेद इति भेदाभेदरूपः स्याद्वादमबाधितमनुपतति प्रमाणफलभाव इतीदमखिलप्रमाणसाधारणमव्यवहितं फलमुक्तम् ॥३७॥ 141. તેના હોતાં અર્થાત્ પ્રમાતામાં રહેલી પ્રમાણરૂપ ક્રિયાના હોતાં અર્થપ્રકાશની અર્થાત્ ફળની સિદ્ધિ થતી હોવાથી, વ્યવસ્થાપના થતી હોવાથી. આમ પ્રમાણ અને ફળ એક જ જ્ઞાનગત હોવાથી અભિન્ન છે. પરંતુ વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ તેમની વચ્ચે હોવાથી તેમનો ભેદ પણ છે. તાત્પર્ય એ છે કે જ્ઞાનક્રિયા વિષય(કર્મ) અને પ્રમાતા (કર્તા) બન્નેમાં રહે છે. જ્ઞાનક્રિયા વિષયમાં રહેવાથી ફળ છે અને પ્રમાતામાં રહેવાથી પ્રમાણ છે. પરંતુ વસ્તુતઃ જ્ઞાનક્રિયા એક છે અને તે જ પ્રમાણ અને ફળ બન્ને છે. આમ એક જ જ્ઞાનક્રિયાગત પ્રમાણ અને ફળ હોવાથી તેમનો અભેદ હોવા છતાં પણ પ્રમાણ વ્યવસ્થાપક છે અને ફલ વ્યવસ્થાપ્ય છે એટલે આ દૃષ્ટિએ તેમનામાં ભેદ પણ છે.] આમ ભેદભેદરૂપ અબાધિત સ્યાદ્વાદને પ્રમાણફલભાવ અનુસરે છે. અહીં બધાં પ્રમાણોમાં સાધારણ એવું અહિત ફલ આચાર્યે કહ્યું. (૩૭). 142. અવ્યવહિતમેવ નીતરમા અજ્ઞાનનિવૃત્તિ રૂા . 142. આચાર્ય બીજું પ્રમાણનું અવ્યવહિત (સાક્ષાત) ફલ કહે છે– અથવા અજ્ઞાનની નિવૃત્તિ પ્રમાણનું ફલ છે. (૩૮) 143. પ્રાણપ્રવૃત્તેિ: પૂર્વ પ્રમાતુવિક્ષતે વિષે વત્ અજ્ઞાનમ્' તરા ‘નિવૃત્તિઃ' મિચે છે ચહું – "प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम् । વંત્રીસુવાપેક્ષેશેષતાનહાનથીઃ ''[ચાયા. ર૮] રતિ રૂટો 143. પ્રમાણની પ્રવૃત્તિથતાં પહેલાં પ્રમાતામાં વિવણિત વિષયનું જે અજ્ઞાન હોય છે તેનો નાશ પ્રમાણનું ફળ છે એમ કેટલાક કહે છે. કહ્યું પણ છે, “પ્રમાણનું સાક્ષાત્ ફળ અજ્ઞાનનિવૃત્તિ (અજ્ઞાનનાશ) છે. કેવલજ્ઞાનનું ફળ સુખ અને ઉપેક્ષા છે અને બાકીનાં પ્રમાણોનું ફળ હાનોપાદાનબુદ્ધિ છે.” [ન્યાયાવતાર, ૨૮]. (૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy