SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૯ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ સમાધાન સાચું, આ દોષ ઉત્પત્તિની બાબતમાં આવે છે, પરંતુ વ્યવસ્થામાં આવતો નથી. [અર્થાત પ્રમાણ-ફળ વચ્ચે જનક-જન્યભાવ માનીએ તો આ દોષ આવે પરંતુ વ્યવસ્થાપક-વ્યવસ્થાપ્યભાવ માનીએ તો આ દોષ ન આવે. અમે પ્રમાણ અને ફળ વચ્ચે વ્યવસ્થાપક-વ્યવસ્થાપ્યભાવ માનીએ છીએ.] કહ્યું પણ છે, “જે અસત્ હોય અર્થાત અવિદ્યમાન હોય તે ઉત્પાદક હેતુ (કરણ યા કારણો હોઈ શકે નહિ અને જે (ઉત્પત્તિ પૂર્વે) સત્ હોય તે ફળ અર્થાત્ કાર્ય હોઈ શકે નહિ. આ દોષ ઉત્પત્તિની બાબતમાં આવે છે પરંતુ વ્યવસ્થામાં આ દોષ આવતો નથી."(૩૪) 136. વ્યવસ્થામેવ તર્ગત વર્ષથી ક્રિયા રૂા. 136, આચાર્ય વ્યવસ્થાને દર્શાવે છે– કર્મમાં (વિષયમાં) સ્થિર થયેલી ક્રિયા (જ્ઞાનક્રિયા) ફલ છે. (૩૫) 137. ન્યુરો જ્ઞાનવ્યાપાર: hતમ્ IIરૂપ 137. કર્મ(વિષય) પ્રતિ ઉન્મુખ થયેલો જ્ઞાનવ્યાપાર ફલ છે. (૩૫) 138. પ્રHIM નિત્યાદ સ્થા પ્રાપામ્ રૂદ્દા 138. પ્રમાણ શું છે? એના ઉત્તરમાં આચાર્ય કહે છે – કર્તામાં(પ્રમાતામાં) સ્થિર થયેલી ક્રિયા (જ્ઞાનક્રિયા) પ્રમાણ છે. (૩૬) 139. Úવ્યાપારમુશ્વિન ગોધઃ પ્રમાણમ્ ગારૂદ્દા 139. કર્તાના (પ્રમાતાના) વ્યાપારનો ઉલ્લેખ કરતો બોધ પ્રમાણ છે.(૩૬) 140. ઉમર્યા પ્રમાd? I fહત સધવતમં મુખ્ય अव्यवहितफलं च तदित्याह तस्यां सत्यामर्थप्रकाशसिद्धेः ॥३७॥ 140. તે પ્રમાણ કેમ છે? આનો ઉત્તર એ છે કે તે કરણ છે અને જે સાધકતમ હોય તે જ કરણ છે. કાલવ્યવધાન વિના ઝટતેનાથી ફલ(કાર્ય) ઉત્પન્ન થાય છે. એટલે આચાર્ય કહે છે— કારણ કે તેના હોતાં તરત જ અર્થના પ્રકાશની સિદ્ધિ થાય છે.(૩૭) - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy