SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 74. આગલા સૂત્રમાં ‘ઇન્દ્રિય’ પદ કહ્યું છે એટલે ઇન્દ્રિયોનાં લક્ષણો આચાર્ય જણાવે ૧૧૦ સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયા છે. ક્રમથી સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને ગ્રહણ કરવા રૂપ તેમનાં લક્ષણો છે. દરેક ઇન્દ્રિયના બે ભેદ છે – દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. (૨૧) www.damia 75. स्पर्शादिग्रहणं लक्षणं येषां तानि यथासङ्ख्यं स्पर्शनादीनीन्द्रियाणि, तथाहि स्पर्शाद्युपलब्धिः करणपूर्वा क्रियात्वात् छिदिक्रियावत् । तत्रेन्द्रेण कर्मणा सृष्टानीन्द्रियाणि नामकर्मोदयनिमित्तत्वात् । इन्द्रस्यात्मनो लिङ्गानि वा, कर्ममलीमसस्य हि स्वयमर्थानुपलब्धुमसमर्थस्यात्मनोऽर्थोपलब्धौ निमित्तानि इन्द्रियाणि । 75. સ્પર્શને ગ્રહણ કરવો એ સ્પર્શનેન્દ્રિયનું લક્ષણ છે. રસને ગ્રહણ કરવો એ રસનેન્દ્રિયનું લક્ષણ છે. ગંધને ગ્રહણ કરવી એઘ્રાણેન્દ્રિયનું લક્ષણ છે. રૂપને ગ્રહણ કરવું એ ચક્ષુરિન્દ્રિયનું લક્ષણ છે. અને શબ્દને ગ્રહણ કરવો એ શ્રોત્રેન્દ્રિયનું લક્ષણ છે. સ્પર્શ વગેરેનું જ્ઞાન કરણ (સાધન) દ્વારા જ થાય છે, કારણ કે જ્ઞાન (જાણવું એ) ક્રિયા છે, પ્રત્યેક ક્રિયા કરણ વડે જ થાય છે, જેમકે (ડાળી વગેરે) કાપવાની ક્રિયા કુહાડી દ્વારા થાય છે, તેવી જ રીતે સ્પર્શ વગેરેને જાણવા માટે જે કરણ છે તે જ ઇન્દ્રિય છે. [વ્યુત્પત્તિ સમજાવે છે.] ઇન્દ્રનો અર્થ અહીં નામકર્મ છે અને જેમનું નિર્માણ નામકર્મથી થયું છે તે ઇન્દ્રિયો છે. અથવા ઇન્દ્ર એટલે આત્મા, જે આત્માનું લિંગ અર્થાત્ સાધન (કરણ) છે તે ઇન્દ્રિય. કર્મોથી મલીન થયેલો આત્મા (સાધન વિના) સ્વયં પદાર્થોને જાણવા સમર્થ નથી, ઇન્દ્રિયો પદાર્થોને જાણવામાં નિમિત્તકા૨ણો છે, આત્મા ઇન્દ્રિયોરૂપ સાધનો દ્વારા પદાર્થોને જાણે છે. 76. नन्वेवमात्मनोऽर्थज्ञानमिन्द्रियात् लिङ्गादुपजायमानमानुमानिकं स्यात् । तथा च लिङ्गापरिज्ञानेऽनुमानानुदयात् । तस्यानुमानात्परिज्ञानेऽनवस्थाप्रसङ्गः, नैवम्; भावेन्द्रियस्य स्वसंविदितत्वेनानवस्थानवकाशात् । यद्वा, इन्द्रस्यात्मनो लिङ्गान्यात्मगमकानि इन्द्रियाणि करणस्य वास्यादिवत्कर्त्रधिष्ठितत्वदर्शनात् । ―――――――― 76. શંકા – · જો આત્માને ઇન્દ્રિયરૂપ લિંગ દ્વારા પદાર્થનું જ્ઞાન થતું હોય તો તે જ્ઞાન અનુમાન હોય, [પ્રત્યક્ષ નહિ.] અને લિંગનું જ્ઞાન થયા વિના અનુમાન ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy