SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા विचारध्यानबलेन निःशेषतया ज्ञानावरणादीनां घातिकर्मणां प्रक्षये सति चेतनास्वभावस्यात्मनः प्रकाशस्वभावस्येति यावत्, स्वरूपस्य प्रकाशस्वभावस्य सत एवावरणापगमेन 'आविर्भावः' आविर्भूतं स्वरूपं मुखमिव शरीरस्य सर्वज्ञानानां प्रधानं 'मुख्यम्' प्रत्यक्षम् । तच्चेन्द्रियादिसाहायकविरहात् सकलविषयत्वादसाधारणत्वाच्च 'केवलम्' इत्यागमे प्रसिद्धम् । 48. સૂત્રગત તત્' (‘તે) ૧૩મા સૂત્રમાં આવેલા પ્રત્યક્ષ પદને માટે છે, તેને સ્પર્શવા - નિર્દેશવા માટે છે. જો સૂત્રમાં “ત' પદને ન મૂક્યું હોત તો આના અનન્તર પહેલાં આવેલા “વૈશદ્ય' સાથે આ સૂત્રનું અનુસંધાન થઈ જાત. દીર્ઘકાલ સુધી બહુમાનપૂર્વક સારી રીતે નિરંતર રાધિત (જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ) રત્નત્રયના પ્રકર્ષના અંતે એકત્વ-વિતર્ક-અવિચાર નામના શુક્લ ધ્યાનના બળે જ્ઞાનાવરણ વગેરે ઘાતિકર્મોનો સંપૂર્ણપણે ક્ષય થતાં ચેતના સ્વભાવવાળા અર્થાત્ પ્રકાશ(જ્ઞાન)સ્વભાવવાળા આત્માનો પ્રકાશસ્વભાવ પ્રગટ થાય છે. આત્મા પ્રકાશસ્વભાવવાળો છે એટલે જ કર્માવરણો દૂર થતાં તેનો પ્રકાશસ્વભાવ પ્રગટ થાય છે, અન્યથા ન થાત. જેમ આખા શરીરમાં મુખ મુખ્ય છે તેમ આ પ્રગટ થયેલું પ્રકાશ સ્વરૂપ પ્રત્યક્ષ બધાં જ્ઞાનોમાં મુખ્ય છે એટલે તે મુખ્ય પ્રત્યક્ષ કહેવાય છે. આગમમાં તે કેવલજ્ઞાન નામથી પ્રસિદ્ધ છે કારણ કે તે ઇન્દ્રિય વગેરે નિમિત્તોની સહાયતા વિના જ થાય છે, સકળ વિષયોને જાણે છે અને અસાધારણ છે. 49. પ્રશાસ્ત્રવિતા ચમત્મનઃ સિદ્ધતિ વે; તે તૂમ: – માત્મા प्रकाशस्वभावः, असन्दिग्धस्वभावत्वात्, यः प्रकाशस्वभावो न भवति नासावसन्दिग्धस्वभावो यथा घटः, न च तथात्मा, न खलु कश्चिदहमस्मि न वेति सन्दिग्धे इति नासिद्धो हेतुः । तथा, आत्मा प्रकाशस्वभावः, बोद्धृत्वात्, यः प्रकाशस्वभावो न भवति नासौ बोद्धा यथा घटः, न च न बोद्धात्मेति । तथा, यो यस्याः क्रियायाः कर्त्ता न स तद्विषयो यथा गतिक्रियायाः कर्ता चैत्रो न तद्विषयः, ज्ञप्तिक्रियायाः कर्ता चात्मेति । 49. શંકા – આત્મા પ્રકાશસ્વભાવ છે એ કેવી રીતે સિદ્ધ થાય છે? ઉત્તર – અમે જણાવીએ છીએ. આત્મા પ્રકાશસ્વભાવ છે કારણ કે તે અસંદિગ્ધસ્વભાવવાળો છે. જે પ્રકાશસ્વભાવ નથી તે અસંદિગ્ધસ્વભાવવાળો નથી, જેમ કે ઘટ. આત્મા અસંદિગ્ધસ્વભાવવાળો નથી એવું નથી, કારણ કે કોઈ “હું છું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy