SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ છે અર્થાત ભૂતલ ઘટરૂપ છે.] ઘટાભાવથી રહિત (=ઘટાભાવથી ભિન્ન = ઘટાભાવના અભાવરૂપ) ભૂતલ પ્રત્યક્ષથી ગૃહીત થાય છે એમ કહેતાં એવો અર્થ મળશે કે ઘટ પ્રત્યક્ષથી ગૃહીત થાય છે, કારણ કે કોઈ વસ્તુના અભાવનું ગ્રહણ ન થવું એટલે તે વસ્તુના ભાવનું ગ્રહણ થવું. [આમ ભૂતલનું પ્રત્યક્ષ વડે ગ્રહણ થતાં જ ઘટનું પણ સાથે સાથે ગ્રહણ થઈ જ જાય] એટલે પછીથી અભાવપ્રમાણ પણ પ્રવૃત્ત થઈ પ્રત્યક્ષગૃહીત ઘટનો નિષેધ કરવા સમર્થ નથી. અને જો અભાવ પ્રમાણ તેમ કરે તો પ્રત્યક્ષને ભ્રાન્ત માનવું પડે કારણ કે પ્રત્યક્ષે અસંકીર્ણને સંકીર્ણ તરીકે જાણ્યું અર્થાત્ જે ભૂતલ પટરહિત હતું તેને ઘટસહિત જાણ્યું. 42. મfપ વાયં પ્રમાણપશ્ચનિવૃત્તિરૂપત્નીત્ તુચ્છ ા તત વિજ્ઞાનરૂપ: कथं प्रमाणं भवेत् ? । तस्मादभावांशात् कथञ्चिदभिन्नं भावांशं परिच्छिन्दता प्रत्यक्षादिना प्रमाणेनाभावांशो गृहीत एवेति तदतिरिक्तविषयाभावानिर्विषयोऽभावः । तथा च न प्रमाणमिति स्थितम् ॥१२॥ 42. પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોનો વ્યાપાર ન થવો એ સ્વરૂપવાળું અભાવપ્રમાણ છે. આમ અભાવપ્રમાણ પંચપ્રમાણનિવૃત્તિરૂપ હોવાથી તુચ્છ છે, નિઃસ્વભાવ છે. તેથી અજ્ઞાનરૂપ હોવાથી તે પ્રમાણ કેવી રીતે બની શકે? વસ્તુતઃ વસ્તુગત અભાવાંશથી કથંચિત્ અભિન્ન એવા ભાવાંશને જાણતી વખતે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો સાથે સાથે અભાવાંશને જાણી લે છે જ. એટલે જાણવા માટે કોઈ જ્ઞય વિષય બાકી રહેતો જ નથી. તેથી ભટ્ટ મીમાંસકોએ સ્વીકારેલું અભાવપ્રમાણ વિષયશૂન્ય છે અને વિષયશૂન્ય હોવાના કારણે પ્રમાણ નથી જ. (૧૨) 43. વિમા મુસ્વી વિશેષત્નક્ષમદિ વિશ પ્રત્યક્ષ- રૂા 43. પ્રમાણના ભેદો કહ્યા પછી હવે આચાર્ય તે ભેદોનાં વિશેષ લક્ષણો કહે છે. નીચે આચાર્ય પ્રત્યક્ષનું વિશેષલક્ષણ કહે છે– વિશદ સિમ્યગર્ભનિર્ણય] એ પ્રત્યક્ષપ્રમાણ છે. (૧૩) 44. सामान्यलक्षणानुवादेन विशेषलक्षणविधानात् 'सम्यगर्थनिर्णयः' इति प्रमाणसामान्यलक्षणमनूद्य 'विशदः' इति विशेषलक्षणं प्रसिद्धस्य प्रत्यक्षस्य विधीयते । तथा च प्रत्यक्षं धर्मि । विशदसम्यगर्थनिर्णयात्मकमिति साध्यो धर्मः । प्रत्यक्षत्वादिति हेतुः । यद्विशदसम्यगर्थनिर्णयात्मकं न भवति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy