SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ શ્લોકની આ વૃત્તિમાં બે સ્થળે ‘સ્વોપન્ન’ શબ્દનો ઉલ્લેખ હોવાથી આ વૃત્તિ સ્વોપન્ન માનવામાં આવે છે. બૃહદ્વૃત્તિ (તત્ત્વપ્રકાશિકા) : ‘સિ. શ.’ પર ‘તત્ત્વપ્રકાશિકા' નામની બૃહવૃત્તિનું સ્વયં હેમચંદ્રસૂરિએ નિર્માણ કર્યું છે. તે ૧૮,૦૦૦ શ્લોક-પરિમાણ છે તેથી તેને ‘અઢાર હજારી’ પણ કહે છે. તે અધ્યાય ૧ થી અધ્યાય ૮ સુધી છે. ઘણા વિદ્વાનો આઠમા અધ્યાયની વૃત્તિને ‘લધુવૃત્તિ’ની અંતર્ગત ગણે છે. આ વિષયમાં ગ્રંથકારે કોઈ સ્પષ્ટીકરણ નથી કર્યું. આ વૃત્તિમાં ‘અમોધવૃત્તિ’નો પણ આધાર લેવામાં આવ્યો છે. ગણપાઠ, ઉષ્ણાદિ વગેરે તેમાં છે. બૃહન્યાસ (શબ્દમહાર્ણવન્યાસ) : ‘સિ. શ.’ની બૃહવૃત્તિ ૫૨ ‘શબ્દમહાર્ણવન્યાસ’ નામના બૃહન્યાસની રચના ૮૪૦૦૦ શ્લોક-પરિમાણમાં સ્વયં હેમચંદ્રસૂરિએ કરી છે. વાદ અને પ્રતિવાદ રજૂ કરીને પોતાના વિધાનને સ્થાપિત કરવાને અહીં ‘ન્યાસ' કહેવામાં આવે છે. તેમાં ઘણા પ્રાચીન વૈયાકરણોના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પતંજલિના ‘શેત્રં નિઃશેષતારમ્' આ વાક્યનું ખૂબ આદર સાથે સ્મરણ કરવામાં આવ્યું છે. દુર્ભાગ્યવશ આ ન્યાસ આખો નથી મળતો. માત્ર ૨૦ શ્લોક-પ્રમાણ આ ગ્રંથ આ રૂપમાં મળે છે : પહેલા અધ્યાયના પ્રથમ પાદના ૪૨ સૂત્રોમાંથી ૩૮ સૂત્રો, ત્રીજો અને ચોથો પાદ, બીજા અધ્યાયના ચારે પાદ, ત્રીજા અધ્યાયનો ચોથો પાદ અને સાતમા અધ્યાયનો ત્રીજો પાદ આટલા ૫૨ ન્યાસ મળે છે. જે અધ્યાયોના પાદો પર ન્યાસ નથી મળતો તેના પર આચાર્ય વિજયલાવણ્યસૂરિએ ‘ન્યાસાનુસંધાન' નામના ન્યાસની રચના કરી છે. = ન્યાસસારસમુદ્ધાર (બૃહન્યાસદુર્ગપદવ્યાખ્યા) : ‘સિ. શ.’ પર ચંદ્રગચ્છીય આચાર્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભસૂરિએ હેમચંદ્રસૂરિના ‘બૃહન્યાસ'ના સંક્ષિપ્ત રૂપ એવા ‘ન્યાસસાર-સમુદ્ધાર' અપરનામ ‘બૃહન્યાસદુર્ગપદવ્યાખ્યા’ ના નામથી ન્યાસ' ગ્રંથની ૧૩મી સદીમાં રચના કરી છે. ૧. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા તરફથી આ ગ્રંથ પ્રકાશિત થયેલ છે. ૨. આ વૃત્તિ જૈન ગ્રન્થ-પ્રકાશક સભા, અમદાવાદ તરફથી પ્રકાશિત થયેલ છે. ૩. ૫ અધ્યાય સુધી લાવણ્યસૂરિ ગ્રન્થમાલા, બોટાદ તરફથી છપાઈ ગયેલ છે. ૪. આ ન્યાસ મનસુખભાઈ ભગુભાઈ, અમદાવાદ તરફથી છપાયેલ છે. Jain Education International ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy