SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ ૨૩ આની રચના અનેક વ્યાકરણ-ગ્રંથોના આધારે કરવામાં આવી છે. ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિસૂત્રો પદ્યબદ્ધ છે.” દીપકવ્યાકરણ : જે તાંબર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિરચિત “દીપકવ્યાકરણ”નો ઉલ્લેખ ગણરત્નમહોદધિમાં વર્ધમાનસૂરિએ આ પ્રમાણે કર્યો છે– ‘ધાવિન: પ્રવરીપર્ફયુwા !' તેની વ્યાખ્યામાં તેઓ આમ લખે છે : _ 'दीपककर्ता भद्रेश्वरसूरिः । प्रवरश्चासौ दीपककर्ता च प्रवरदीपककर्ता । प्राधान्यं चास्याधुनिकवैयाकरणापेक्षया ।' બીજો ઉલ્લેખ આ પ્રમાણે છે : પરીવાર્યતું – 'किञ्च स्वा दुर्मगा कान्ता रक्षान्ता निश्चिता समा। सचिवा चपला भक्तिर्बाल्येति स्वादयो दश ॥ इति स्वादौ वेत्यनेन पुंवद्भावं मन्यन्ते ॥' આ ઉલ્લેખથી જાણી શકાય છે કે તેમણે ' તિનુશાસન' ની પણ રચના કરી હતી. સાયણ રચિત ધાતુવૃત્તિ' માં શ્રીભદ્રના નામે વ્યાકરણ-વિષયક મતના અનેક ઉલ્લેખો છે, સંભવ છે કે તે ભદ્રેશ્વરસૂરિના “દીપકવ્યાકરણ'ના હશે. શ્રીભદ્ર (ભદ્રેશ્વરસૂરિ)એ પોતાના “ધાતુપાઠ પર વૃત્તિની રચના પણ કરી છે તેમ સાયણના ઉલ્લેખ પરથી જાણી શકાય છે. હીવત્તી' ના કર્તા ભશ્વરસૂરિએ જો “દીપકવ્યાકરણની રચના કરી હોય તો તેઓ ૧૩મી શતાબ્દીમાં થઈ ગયા એવા નિષ્કર્ષ પર પહોંચી શકાય છે અને બીજા ભદ્રેશ્વરસૂરિ જે બાલચંદ્રસૂરિની ગુરુપરંપરામાં થઈ ગયા તેઓ ૧૨મી શતાબ્દીમાં થઈ ગયા. શબ્દાનુશાસન (મુષ્ટિવ્યાકરણ) : આચાર્ય મલયગિરિસૂરિએ સંખ્યાબદ્ધ આગમ, પ્રકરણ અને ગ્રંથો પર વ્યાખ્યાઓની રચના કરીને આગમિક અને દાર્શનિક સૈદ્ધાત્તિક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે, પરંતુ જો તેમનો કોઈ સ્વતંત્ર ગ્રંથ હોય તો તે ફક્ત સ્વોપજ્ઞ વૃત્તિયુક્ત ૧. શ્રી વુદ્ધિસારવા. પાણિનિ-વન્દ્ર-સૈનેન્દ્ર-વિઝાન્ત-ટુરીઝમવતોથ વૃત્તવળે: (?) धातुसूत्र-गणोणादिवृत्तबन्धैः कृतं व्याकरणं संस्कृतशब्दप्राकृतशब्दसिद्धये ॥ – પ્રમનિuતે | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy