SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યાવીસમું પ્રકરણ પ્રાણીવિજ્ઞાન આયુર્વેદમાં પશુપક્ષીઓની શરીરરચના, સ્વભાવ, ઋતુચર્યા, રોગ અને તેમની ચિકિત્સાના વિષયમાં ઘણું લખવામાં આવ્યું છે. “અગ્નિપુરાણ'માં ગવાયુર્વેદ, ગજચિકિત્સા, અશ્વચિકિત્સા વગેરે પ્રકરણો છે. પાલકાપ્ય નામક વિદ્વાનનો હતિઆયુર્વેદ નામક એક પ્રાચીન ગ્રંથ છે. નીલકંઠે “માતંગલીલા'માં હાથીઓના લક્ષણ ખૂબ સારી રીતે બતાવ્યાં છે. જયદેવે “અવૈદ્યક' નામક ગ્રંથમાં ઘોડાઓ વિશે લખ્યું છે. “શાલિહોત્ર' નામક ગ્રંથ પણ અશ્વો વિશે સારી જાણકારી આપે છે. કુર્માચલ (કુમાઊં)ના રાજા રુદ્રદેવે “નિકશાસ્ત્ર' નામક એક ગ્રંથ લખ્યો છે, જેમાં બાજ પક્ષીઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા શિકાર કરવાની રીત બતાવવામાં આવી છે. મૃગપક્ષિશાસ્ત્રઃ હંસદેવ નામક જૈન કવિ (યતિ)એ ૧૩મી શતાબ્દીમાં પશુ-પક્ષીઓના પ્રકાર, સ્વભાવ વગેરે પર પ્રકાશ પાડનાર “મૃગ-પક્ષીશાસ્ત્ર' નામક સુંદર અને વિશિષ્ટ ગ્રંથની રચના કરી છે. આમાં અનુરુપ છંદમાં ૧૭૦૦ શ્લોક છે. આ ગ્રંથમાં પશુ-પક્ષીઓના ૩૬ વર્ગો બતાવવામાં આવ્યા છે. તેમના રૂપ-રંગ, પ્રકાર, સ્વભાવ, બાલ્યાવસ્થા, સંભોગકાળ, ગર્ભધારણ-કાળ, ખાન-પાન, આયુષ્ય અને અન્ય કેટલીય વિશેષતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્ત્વ-ગુણ પશુ-પક્ષીઓમાં નથી હોતો. તેમનામાં રજોગુણ અને તમોગુણ – આ બે જ ગુણ જોવા મળે છે. પશુપક્ષીઓમાં પણ ઉત્તમ, મધ્યમ અને અધમ – આ ત્રણ પ્રકાર બતાવ્યા છે. સિંહ, ૧. મદ્રાસના શ્રી રાઘવાચાર્યને સૌથી પહેલાં આ ગ્રંથની હસ્તલિખિત પ્રત મળી હતી. તેમણે તેને ત્રાવણકોરના મહારાજાને ભેટ કરી. ડૉ. કે. સી. વુડ આની પ્રતિલિપિ કરી અમેરિકા લઈ ગયા. સન્ ૧૯૨૫માં શ્રી સુન્દરાચાર્યે આનો અંગ્રેજીમાં અનુવાદ પ્રકાશિત કર્યો. મૂળ ગ્રંથ હજી છપાયો નથી, એવું જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy