SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ વ્યાકરણ અને સાહિત્યિક પ્રવાહને લક્ષ્યમાં રાખીને કરી છે. આચાર્યે પ્રાકૃત શબ્દની વ્યુત્પત્તિ આપતાં જણાવ્યું છે કે જેની પ્રકૃતિ સંસ્કૃત છે તેનાથી ઉત્પન્ન કે આવેલું તે પ્રાકૃત છે. આનાથી એમ સિદ્ધ થતું નથી કે સંસ્કૃતમાંથી પ્રાકૃતનું અવતરણ થયું છે. અહીં આચાર્યનો અભિપ્રાય એ છે કે સંસ્કૃતના રૂપોને આદર્શ માનીને પ્રાકૃત શબ્દોનું અનુશાસન કરવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે સંસ્કૃતને અનુકૂળતા માટે પ્રકૃતિ ગણીને પ્રાકૃત ભાષાના આદેશોને સિદ્ધ કરવામાં આવ્યા છે. પ્રાકૃત વ્યાકરણકારોની પાશ્ચાત્ય અને પૌરસ્ય આ બંને શાખાઓમાં આચાર્ય હેમચંદ્ર પાશ્ચાત્ય શાખાને ગણમાન્ય વિદ્વાન છે. આ શાખાના પ્રાચીન વૈયાકરણ ચંડ આદિની પરંપરાનું અનુસરણ કરતાં આચાર્ય હેમચંદ્રસૂરિના “પ્રાકૃત વ્યાકરણ'માં ચાર પાદ છે. પ્રથમ પાટનાં ૨૭૧ સૂત્રોમાં સંધિ, વ્યંજનાન્ત શબ્દ, અનુસ્વાર, લિંગ, વિસર્ગ, સ્વરવ્યત્યય અને વ્યંજનવ્યત્યય-નું ક્રમશઃ નિરૂપણ કરવામાં આવ્યું છે. દ્વિતીય પાદનાં ૨૧૮ સૂત્રોમાં સંયુક્ત વ્યંજનોના વિપરિવર્તન, સમીકરણ, સ્વરભક્તિ, વર્ણવિપર્યય, શબ્દાદેશ, તદ્ધિત, નિપાત અને અવ્યયોનું વર્ણન છે. તૃતીય પાદનાં ૧૮૨ સૂત્રોમાં કારક-વિભક્તિઓ તથા ક્રિયા-રચના સંબંધિત નિયમો બતાવ્યા છે. ચાથા પાદમાં ૪૪૯ સૂત્રો છે, જેમાંથી પ્રથમ ૨૫૯ સૂત્રોમાં ધાત્વાદેશ અને શેષ સૂત્રોમાં ક્રમશઃ શૌરસેનીના ૨૬૦ થી ૨૮૬ સૂત્રો, માગધીના ૨૮૭ થી ૩૦૨, પૈશાચીના ૩૦૩થી ૩૨૪, ચૂલિકા પૈશાચીના ૩૨૫ થી ૩૨૮ અને પછી અપભ્રંશના ૩૨૯ થી ૪૪૬ સૂત્ર છે. અંતમાં સમાપ્તિ-સૂચક બે સૂત્રો (૪૪૭ અને ૪૪૮)માં કહેવામાં આવ્યું છે કે પ્રાકૃતોમાં ઉક્ત લક્ષણોનો વ્યત્યય પણ મળે છે તથા જે વાત અહીં નથી જણાવવામાં આવી તે “સંસ્કૃતવત” સિદ્ધ સમજવી જોઈએ. આચાર્ય હેમચંદ્રસૂરિએ આગમ આદિ (જ અર્ધમાર્ગધી ભાષામાં લખાયેલાં છે) સાહિત્યને લક્ષ્યમાં રાખીને તૃતીય સૂત્ર તેમ જ અન્ય અનેક સૂત્રોની વૃત્તિમાં “આર્ષ પ્રાકૃત'નો ઉલ્લેખ કર્યો છે અને તેનાં ઉદાહરણ પણ આપ્યાં છે પરંતુ તે ખૂબ અલ્પ સંખ્યામાં છે. શ્રત, ઍવિત્, મત્વે આદિ શબ્દપ્રયોગો પરથી ખ્યાલ આવે છે કે તેમણે પોતાની પહેલાંના વ્યાકરણોમાંથી પણ સામગ્રી લીધી છે. માગધીનું વિવેચન કરતાં કહ્યું છે કે અર્ધમાગધીમાં પુંલ્લિગ કર્તા માટે એક વચનમાં ‘’ ના સ્થાને ‘’ કાર થઈ જાય છે. (વસ્તુતઃ આ નિયમ માગધી ભાષાને લાગુ પડે છે.) અપભ્રંશ ભાષાનું અહીં વિસ્તૃત વિવેચન છે. આવું વિવેચન આટલી પૂર્ણતા સાથે કોઈ નથી કરી શક્યું. અપભ્રંશના અનેક અજ્ઞાત ગ્રંથોમાંથી શ્રૃંગાર, વૈરાગ્ય અને નીતિવિષયક અનેક પડ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy