________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
વેદનાસમુદ્ધાતને પામ્યો છે, કાપોતલેશ્યાવાળો છે, વળી મારણાંતિક સમુદ્ધાતને
પામ્યો છે તથા વિગ્રહગતિના ત્રણ વળાંક લઈ સાતમી નરકમાં ઉત્પન્ન થવાનો છે તેના જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓને ક્ષેત્રપ્રત્યાસથી ગુણતાં જ્ઞાનાવરણની ક્ષેત્રપ્રત્યાસપ્રકૃતિઓનું પરિમાણ મળે છે. આ રીતે અન્ય કર્મોની બાબતમાં પણ પ્રરૂપણા કરવામાં આવી છે.
૧
૫૬
વેદનભાગાભાગવિધાનનો વિચાર પણ પ્રકૃત્યર્થતા આદિ ત્રણ અનુયોગદ્વારોમાં કરવામાં આવ્યો છે. પ્રકૃત્યર્થતાની અપેક્ષાએ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ બધી પ્રકૃતિઓનો કંઈક ઓછો દ્વિતીય ભાગ છે. વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય કર્મની પ્રકૃતિઓ બધી પ્રકૃતિઓનો અસંખ્યાતમો ભાગ છે. આ રીતે બાકીનાં બે અનુયોગદ્વારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
વેદનઅલ્પબહુત્વનો વિચાર પણ પ્રકૃત્યર્થતા વગેરે ત્રણ અનુયોગદ્વારો વડે કરવામાં આવ્યો છે. પ્રકૃત્યર્થતાની અપેક્ષાએ ગોત્ર કર્મની પ્રકૃતિઓ સૌથી ઓછી છે. વેદનીય કર્મની પણ એટલી જ પ્રકૃતિઓ છે. આયુ કર્મની પ્રકૃતિઓ એમનાથી સંધ્યેય ગણી છે. અન્તરાય કર્મની પ્રકૃતિઓ એમનાથી વિશેષ અધિક છે. મોહનીય કર્મની પ્રકૃતિઓ એમનાથી સંધ્યેય ગણી છે. નામ કર્મની પ્રકૃતિઓ એમનાથી અસંખ્યેય ગણી છે. દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ એમનાથી અસંખ્યેય ગણી છે. જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓ એમનાથી વિશેષ અધિક છે. સમયપ્રબદ્ધાર્થતાની અપેક્ષાએ આયુ કર્મની પ્રકૃતિઓ સૌથી ઓછી છે, ઈત્યાદિ. ક્ષેત્રપ્રત્યાસની અપેક્ષાએ અન્તરાય કર્મની પ્રકૃતિઓ સૌથી ઓછી છે, ઈત્યાદિ. વર્ગણા
વર્ગણા ખંડમાં સ્પર્શ, કર્મ અને પ્રકૃતિ આ ત્રણ અનુયોગદ્વારોની સાથે બન્ધન અનુયોગદ્વારના બન્ધ અને બન્ધનીય બે અધિકારોનું વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. બન્ધનીયના વિવેચનમાં વર્ગણાઓનું વિસ્તૃત વર્ણન હોવાનેં કારણે આ ખંડને વર્ગણા નામ આપવામાં આવ્યું છે.
સ્પર્શઅનુયોગદ્વાર સ્પર્શઅનુયોગદ્વારના નીચે જણાવેલા સોળ અધિકારો છે ઃ ૧. સ્પર્શનિક્ષેપ, ૨. સ્પર્શનયવિભાષણતા, ૩. સ્પર્શનામવિધાન, ૪. સ્પર્શદ્રવ્યવિધાન, ૫. સ્પર્શક્ષેત્રવિધાન, ૬. સ્પર્શકાલવિધાન, ૧. સૂત્ર ૧-૫૩ (વેદનપરિમાણવિધાન) ૨.સૂત્ર ૧-૨૦ (વેદનભાગાભાગવિધાન) ૩. સૂત્ર ૧-૨૬ (વેદનઅલ્પબહુત્વ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org