SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રાભૂત ૫૫ નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વગેરે વેદનાઓ પરંપરબંધ છે. શબ્દ નયોની અપેક્ષાએ અવક્તવ્ય છે. વેદનસશિકર્ષના બે પ્રકાર છે : સ્વસ્થાનવેદનસશિકર્ષ અને ૫૨સ્થાનવેદનસશિકર્ષ. સ્વસ્થાનવેદનસશિકર્ષના બે ભેદ છે ઃ જઘન્ય સ્વસ્થાનવેદનસશિકર્ષ અને ઉત્કૃષ્ટ સ્વસ્થાનવેદનસશિકર્ષ. ઉત્કૃષ્ટ સ્વસ્થાનવેદનસન્નિકર્ષ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારનો છે. જેને જ્ઞાનાવરણીય વેદના દ્રવ્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય છે તેને ક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય છે કે અનુત્કૃષ્ટ ? નિયમતઃ અનુષ્કૃષ્ટ હોય છે તથા અસંખ્યેય ગણી હીન હોય છે. કાળની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પણ હોય છે અને અનુત્કૃષ્ટ પણ. ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનુત્કૃષ્ટ એક સમય ન્યૂન હોય છે. ભાવની અપેક્ષાએ પણ ઉત્કૃષ્ટ અને અનુભૃષ્ટ ઉભયરૂપ હોય છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનુત્કૃષ્ટ ષસ્થાનપતિત હોય છે અર્થાત્ અનન્તભાગહીન, અસંખ્યેયભાગહીન, સંધ્યેયભાગહીન, સંધ્યેય ગણી હીન, અસંખ્યેય ગણી હીન અને અનન્તગણી હીન હોય છે. જેને જ્ઞાનાવરણીય વેદના ક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય છે તેને તે દ્રવ્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય છે કે અનુત્કૃષ્ટ ? નિયમતઃ અનુષ્કૃષ્ટ હોય છે તથા ચતુઃસ્થાનપતિત હોય છે : અસંખ્યેયભાગહીન, સંધ્યેયભાગહીન, સંધ્યેય ગણી હીન અને અસંખ્યેય ગણી હીન. આ જ રીતે બાકીના પ્રરૂપણના વિષયમાં પણ યથાવત્ સમજી લેવું જોઈએ. ૫ વેદનપારમાણવિધાનનો ત્રણ અનુયોગદ્વારોમાં વિચાર કરવામાં આવ્યો છે : પ્રકૃત્યર્થતા, સમયપ્રબદ્ધાર્થતા અને ક્ષેત્રપ્રત્યાશ્રય કે ક્ષેત્રપ્રત્યાસ. પ્રકૃત્યર્થતાની અપેક્ષાએ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મની અસંખ્યેય લોકપ્રમાણ પ્રકૃતિઓ છે. વેદનીય કર્મની બે પ્રકૃતિઓ છે. આ જ રીતે અન્ય કર્મોની પ્રકૃતિઓનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય કર્મની એક-એક સમયપ્રબદ્ધાર્થતા-પ્રકૃતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમને સમયપ્રબદ્ધાર્થતાથી ગુણવાથી જે પ્રાપ્ત થાય એટલી છે. આ રીતે અન્ય કર્મોની સમયપ્રબદ્ધાર્થતાપ્રકૃતિઓનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જે મત્સ્ય એક હજાર યોજનપ્રમાણ છે, સ્વયમ્ભરમણસમુદ્રના બાહ્ય તટ પર રહેલો છે, ૧. સૂત્ર ૧-૧૧ (વેદનઅન્તરવિધાન) ૨. સૂત્ર ૧-૧૭ (વેદનસન્નિકર્ષવિધાન) ૩. સૂત્ર ૧૮-૩૨૦ ૪. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ૫. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ Jain Education International - ધવલા, પુસ્તક ૧૨, પૃ. ૪૮૧. એજન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy