SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રાભૃત ૪૫ વિશેષ દૃષ્ટિએ નરકગતિમાં રહેલા મિથ્યાષ્ટિને ઔદયિક ભાવ, સાસાદનસમ્યગ્દષ્ટિને પરિણામિક ભાવ, સમ્યુગ્મિમાદષ્ટિને ક્ષાયિક ભાવ હોય છે, ઈત્યાદિ. (૮) અલ્પબદુત્વાનુગમ – સામાન્ય દૃષ્ટિએ અપૂર્વકરણ વગેરે ત્રણ ગુણસ્થાનોમાં ઉપશમક જીવો પ્રવેશની અપેક્ષાએ તુલ્ય છે તથા બધાં ગુણસ્થાનોથી અલ્પ છે. ઉપશાન્તકષાયવીતરાગછબસ્થ પણ તેટલા જ છે. ત્રણ પ્રકારના ક્ષેપક તેમનાથી સંખ્યય ગણા છે. ક્ષીણકષાયવીતરાગછબસ્થ પૂર્વોક્ત જેટલા જ છે. સયોગિકેવલી અને અયોગિકેવલી પ્રવેશની અપેક્ષાએ તુલ્ય તથા પૂર્વોક્ત જેટલા છે. આ વિશેષ દૃષ્ટિએ નારકીઓમાં સાસાદનસમ્યગ્દષ્ટિ સૌથી ઓછા છે. સમ્યમ્મિથ્યાદષ્ટિ એમનાથી સંખ્યય ગણા છે. અસંતસમ્યગ્દષ્ટિ સમ્યુગ્મિથ્યાષ્ટિઓથી અસંખ્યય ગણા છે. મિથ્યાદષ્ટિ અસંતસમ્યગ્દષ્ટિઓથી અસંખ્યય ગણા છે. આમ અલ્પબદુત્વનો વિચાર વિભિન્ન દૃષ્ટિઓથી કરવામાં આવ્યો છે. અહીં સુધી જીવસ્થાનનાં સત્રરૂપણા વગેરે આઠ અનુયોગદ્વારોનો અધિકાર છે. એના પછી પ્રકૃતિસમુત્કીર્તન વગેરે નવ ચૂલિકાઓ છે. (૧) પ્રકૃતિસમુત્કીર્તન – કર્મની મૂળ પ્રકૃતિઓ આઠ છે : ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુ, ૬, નામ, ૭. ગોત્ર અને ૮. અન્તરાય. જ્ઞાનાવરણીય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે : ૧. આભિનિબોધિકજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય, ૩. અવધિજ્ઞાનાવરણીય, ૪. મન પર્યયજ્ઞાનાવરણીય અને ૫. કેવલજ્ઞાનાવરણીય. દર્શનાવરણીય કર્મની નવ ઉત્તરપ્રકૃતિઓ છે : ૧. નિદ્રાનિદ્રા, ૨. પ્રચલપ્રચલા, ૩. ત્યાનગૃદ્ધિ, ૪. નિદ્રા, ૫. પ્રચલા, ૬. ચક્ષુદર્શનાવરણીય, ૭. અચક્ષુર્દર્શનાવરણીય, ૮. અવધિદર્શનાવરણીય અને ૯, કેવલદર્શનાવરણીય. વેદનીય કર્મની બે, મોહનીય કર્મની અઠ્ઠાવીસ, આયુ કર્મની ચાર, નામ કર્મની બેતાલીસ (પિડપ્રકૃતિઓ), ગોત્ર કર્મની બે અને અન્તરાય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે. ૫ (૨) સ્થાન સમુત્કીર્તન – જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિઓનો બંધ કરનાર જીવનું એક જ ભાવમાં સ્થાન અર્થાત અવસ્થાન હોય છે. આ બંધસ્થાન મિથ્યાદષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ, સમ્યમ્મિથ્યાષ્ટિ, અસંયતસમ્યગ્દષ્ટિ, સંયતાસંયત અથવા સંયતને હોય છે. દર્શનાવરણીય કર્મનાં ત્રણ બંધસ્થાન છે : નવ પ્રકૃતિઓ સાથે સંબંધ ધરાવનારું, છ પ્રકૃતિઓ સાથે સંબંધ ધરાવનારું અને ચાર પ્રકૃતિઓ ૧. સૂત્ર ૧૦-૯૩ ૨. સૂત્ર ૧-૬ (અલ્પબદુત્વાનુગમ) ૩. સૂત્ર ૨૭-૩૦ ૪. સૂત્ર ૩૧-૩૮૨ ૫. સૂત્ર ૧-૪૬ (પુસ્તક દ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy