SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદ ૧ ૧ પુરુષવાદ-પુરુષવાદીના મત અનુસાર આ જગતનો સર્જક, પાલક અને સંહારક ઈશ્વર છે. ઈશ્વર પુરુષવિશેષ છે. પ્રલયમાં પણ એની જ્ઞાન વગેરે શક્તિઓ વિદ્યમાન રહે છે. પુરુષવાદમાં સામાન્યતઃ બે મતોનો સમાવેશ છે : બ્રહ્મવાદ અને ઈશ્વરવાદ. બ્રહ્મવાદ માને છે કે જેમ કરોળિયો જાળાને માટે, ચન્દ્રકાન્ત મણિ જળને માટે અને વડ વડવાઈઓ માટે કારણભૂત છે તેમ પુરુષ અર્થાત્ બ્રહ્મ સમસ્ત જગતના પ્રાણીઓનાં સર્જન, સ્થિતિ અને સંહાર માટે કારણભૂત છે. અહીં કારણનો અર્થ ઉપાદાનકારણ છે. બ્રહ્મ જ જગતના બધા જ પદાર્થોનું ઉપાદાનકારણ છે. ઈશ્વરવાદ માને છે કે સ્વયંસિદ્ધ જડ અને ચેતન મૂળદ્રવ્યોના પારસ્પરિક સંયોજનમાં ઈશ્વર કેવળ નિમિત્તકારણ છે. ઈશ્વરની ઈચ્છા વિના જગતનું કોઈ પણ કાર્ય બનતું નથી. ઈશ્વર જગતનો નિયતા છે. કર્મવાદનું મન્તવ્ય કર્મવાદના સમર્થકો ઉપર જણાવેલી માન્યતાઓનો સમન્વય કરીને કર્મસિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. તેઓ જણાવે છે કે જેમ કોઈ કાર્યની ઉત્પત્તિ કેવળ એક જ કારણ ઉપર નહિ પરંતુ અનેક કારણોની સામગ્રી ઉપર આધાર રાખે છે તેમ જગતની વિષમતા અર્થાત વિચિત્રતાનું પણ કોઈ એક જ કારણ નથી પરંતુ અનેક કારણોની સામગ્રી છે જે સામગ્રીમાં કર્મની સાથે કાલ વગેરેનો પણ સમાવેશ છે. જગતમાં જણાતી વિષમતાનું પ્રધાન કારણ કર્મ છે જ્યારે કાલ વગેરે સહકારી કારણો છે. કર્મને પ્રધાને કારણે માનવાથી પુરુષાર્થનું પોષણ થાય છે અને જીવોમાં આત્મવિશ્વાસ તેમ જ આત્મબળ ઉત્પન્ન થાય છે. જીવે પોતાનાં સુખ-દુઃખનું કારણ અન્યત્ર શોધવાને બદલે પોતાની અંદર જ શોધવું અધિક તર્કસંગત છે. આચાર્ય હરિભદ્ર વગેરે માને છે કે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃતકર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણોમાંથી કોઈ એકને જ કાર્યોત્પત્તિનું કારણ માનવું અને બાકીનાં કારણોની સાવ ઉપેક્ષા કરવી એ નિતાંત ખોટું છે. સાચું તો એ છે કે કાર્યોત્પત્તિમાં ઉક્ત બધાં કારણોનો સમન્વય કરવો. દૈવ, કર્મ યા ભાગ્ય અને પુરુષાર્થના વિષયમાં અનેકાન્ત દષ્ટિ રાખવી જોઈએ. બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ ન કરાતાં ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ દૈવને અધીન છે. બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરાતાં ઈષ્ટ કે અનિષ્ટની પ્રાપ્તિ થવી પુરુષાર્થને અધીન છે. ક્યાંક દૈવ પ્રધાન હોય છે તો ક્યાંક પુરુષાર્થ. દૈવ અને પુરુષાર્થના સમ્યફ ૧. પ્રમેયકમલમાર્તડ (પં. મહેન્દ્રકુમાર જૈન દ્વારા સંપાદિત), પૃ. ૬૫ ૨. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૨. ૭૯-૮૦. ૩. આમીમાંસા, કારિકા ૮૮-૯૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy