SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદ ૯ મહાભારતમાં પણ સ્વભાવવાદનો ઉલ્લેખ છે. સ્વભાવવાદી પ્રત્યેક કાર્યને સ્વભાવજન્ય માને છે. આ જગતના કે તેની વિચિત્રતા-વિષમતાના કોઈ નિયામક યા નિયંતા ઈશ્વરને તે સ્વીકારતો નથી. નિયતિવાદ—નિયતિવાદીના મતે જગતમાં જે થવાનું હોય છે તે જ થાય છે, અથવા જે થવાનું હોય છે તે અવશ્ય થાય જ છે. ઘટનાઓનું અવશ્યભાવિત્વ પૂર્વનિર્ધારિત છે. બીજા શબ્દોમાં, જગતની દરેક ઘટના પહેલેથી જ નિયત છે. પ્રાણીના ઈચ્છાસ્વાતન્ત્યનું કોઈ જ મૂલ્ય નથી, અથવા તો એમ કહો કે ઈચ્છાસ્વાતન્ત્ય જેવી કોઈ ચીજ જ નથી. પાશ્ચાત્ય દાર્શનિક સ્પિનોઝા આ મતના સમર્થક હતા. તે માનતા હતા કે વ્યક્તિ પોતાના અજ્ઞાનને કારણે જ એવું વિચારે છે કે હું ભવિષ્યને બદલી શકું છું. જે કંઈ થવાનું હશે તે અવશ્ય થશે જ. જેમ અતીત અર્થાત્ ભૂત સુનિશ્ચિત અને અપરિવર્તનીય છે તેમ ભવિષ્ય પણ સુનિશ્ચિત અને અપરિવર્તનીય છે. આ કારણે જ આશા અને ભય બંને નિરર્થક છે. એ જ રીતે કોઈની પ્રશંસા કરવી કે કોઈને દોષી ઠરાવવો એ પણ નિરર્થક છે. બૌદ્ધ ત્રિપિટકો અને જૈન આગમોમાં નિયતિવાદ વિશે અનેક વાતો મળે છે. દીનિકાયના સામઞફલસુત્તમાં મંખલી ગોશાલકના નિયતિવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. ગોશાલક માનતા કે જીવોની અપવિત્રતાનું કંઈ જ કારણ નથી. તેઓ કારણ વિના જ અપવિત્ર બને છે. તેવી જ રીતે જીવોની શુદ્ધતાનું પણ કોઈ જ કારણ નથી. કારણ વિના જ તેઓ શુદ્ધ બને છે. જીવના પોતાના સામર્થ્યના બળે કંઈ જ થતું નથી. પુરુષના સામર્થ્યને કારણે કોઈ પદાર્થની સત્તા (અસ્તિત્વ) છે, એવી વાત જ નથી. ન બળ છે, ન વીર્ય છે, ન શક્તિ કે પરાક્રમ છે. બધાં સત્ત્વો, બધાં પ્રાણીઓ, બધા જીવો અવશ છે, દુર્બળ છે, વીર્યહીન છે. નિયતિ, જાતિ, વૈશિષ્ટ્ય અને સ્વભાવને કારણે તેમનામાં પરિવર્તન થાય છે. છ જાતિઓમાંથી કોઈ એક જાતિમાં રહીને બધાં દુઃખોનો ઉપભોગ કરાય છે. ચોરાસી લાખ મહાકલ્પોના ચક્રમાં ભ્રમણ કર્યા પછી બુદ્ધિમાન અને મૂર્ખ બંનેના દુઃખો નષ્ટ થઈ જાય છે. જૈન આગમોમાં પણ નિયતિવાદ એટલે કે અક્રિયાવાદનું રોચક વર્ણન કરવામાં આવ્યું છે. ઉપાસકદશાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), સૂત્રકૃતાંગ ૧. ભગવદ્ગીતા, ૫. ૧૪ ૨. ઉપાસકદશાંગ, અધ્યયન ૬-૭; વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, શતક ૧૫; સૂત્રકૃતાંગ ૨.૧.૧૨; ૨.૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy