SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ગણે છે. કેટલાક વિચારકોના મતે પુરુષ કે ઈશ્વર જ આ જગતનો કર્તા છે. અહીં અમે આ માન્યતાઓનો ટૂંકમાં પરિચય કરાવીશું. કાલવાદ—કાલવાદી માને છે કે જગતના બધા પદાર્થો તથા સુખ-દુઃખ કાલમૂલક છે. કાલ જ સમસ્ત જીવોનું સર્જન કરે છે અને તેમનો સંહાર કરે છે. કાલ જ પ્રાણીઓના સમસ્ત શુભ-અશુભ પરિણામોનો જનક છે. કાલ જ પ્રજાનો સંકોચ અને વિસ્તાર કરે છે. આમ કાલ જ જગતનું આદિ કારણ છે. અથર્વવેદમાં એક કાલસૂક્ત છે. તેમાં દર્શાવ્યું છે કે કાળે પૃથ્વીને ઉત્પન્ન કરી છે, કાલને આધારે સૂર્ય તપે છે, કાલને આધારે જ સમસ્ત ભૂતો રહે છે. કાલને જ કારણે આંખ દેખે છે, કાલ જ ઈશ્વર છે, કાલ પ્રજાપતિનો પણ પિતા છે, કાલ સર્વપ્રથમ દેવ છે, કાલથી ચિડયાતી કોઈ બીજી શક્તિ નથી, કાલ સર્વોચ્ચ ઈશ્વર છે, વગેરે. મહાભારતમાં પણ કાલની સર્વોચ્ચતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એમાં કહ્યું છે કે કર્મ એટલે કે યજ્ઞયાગ વગેરે સુખ-દુઃખનું કારણ નથી. મનુષ્ય કાલ દ્વારા જ સધળું પામે છે. સર્વ કાર્યોનું કારણ કાળ જ છે, વગેરે.૪ 3 સ્વભાવવાદ સ્વભાવવાદી માને છે કે જગતમાં જે કંઈ થાય છે તે સ્વભાવથી જ થાય છે. સ્વભાવને છોડી બીજું કોઈ કર્મ આદિ કારણ જગતની વિષમતા યા વિચિત્રતાનું સર્જન ક૨વા સમર્થ નથી. બુદ્ધચરિતમાં સ્વભાવવાદનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે કાંટાનું અણીદાર હોવાપણું, પશુ-પક્ષીઓમાં જણાતી વિચિત્રતા વગેરે બધાંનું કારણ સ્વભાવ છે. કોઈ પણ પ્રવૃત્તિનું કારણ ઇચ્છા કે પ્રયત્ન નથી, પરંતુ સ્વભાવ છે, તેમાં ઇચ્છા કે પ્રયત્નનું કોઈ સ્થાન નથી.પ સૂત્રકૃતાંગવૃત્તિ (શીલાંકકૃત)માં પણ કહેવામાં આવ્યું છે કે કંટકની તીક્ષ્ણતા, મૃગ-પક્ષીઓના વિચિત્ર ભાવ વગેરે બધું જ સ્વભાવજન્ય છે. ગીતા અને — ૧. कालः स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्यम् । संयोग एषां न स्वात्मभावादात्माप्यनीशः सुखदुःखहेतोः ॥ श्वेताश्वतरोपनिषद्, १.२ ૨. જુઓ—Dr. Mohan Lal Mehta: Jaina Psychology, પૃ. ૬-૧૨; પં. મહેન્દ્રકુમાર જૈનઃ જૈનદર્શન, પૃ. ૮૭-૧૧૯; પં. દલસુખ માલવણિયાઃ આત્મમીમાંસા, પૃ. ૮૬-૯૪ ૩. અથર્વવેદ, ૧૯. ૫૩-૫૪. ४. कालेन सर्वं लभते मनुष्यः ૫. બુદ્ધચરિત, ૫૨. Jain Education International । શાન્તિપર્વ, મહાભારત, ૨૫. ૨૮. ૩૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy