SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પંચલિંગી જૈન મહારાષ્ટ્રીમાં જિનેશ્વરસૂરિરચિત આ કૃતિમાં ૧૦૧ પદ્ય છે. તેમાં સમ્યક્ત્વનાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિક્ય એ પાંચ લિંગોનું નિરૂપણ છે. કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ટીકાઓ તેના ઉપર જિનચન્દ્રસૂરિના શિષ્ય જિનપતિસૂરિએ ૬૬૦૦ શ્લોકપ્રમાણ એક વિવરણ લખ્યું છે. આ વિવરણ ઉપર જિનપતિસૂરિના શિષ્ય જિનપાલે ટિપ્પણ લખ્યું છે. આ ઉપરાંત સર્વરાજે ૧૩૪૮ શ્લોકપ્રમાણ એક લઘુવૃત્તિ લખી છે. દંસણસુદ્ધિ (દર્શનશુદ્ધિ) આને સમ્યક્ત્વપ્રકરણ કહે છે. તેની રચના જયસિંહના શિષ્ય ચન્દ્રપ્રભે જૈન મહારાષ્ટ્રીનાં ૨૨૬ પઘોમાં કરી છે. તેમાં સમ્યક્ત્વનો અધિકાર છે. ટીકાઓ ~ તેના ઉપર વિમલગણીએ વિ.સં.૧૧૮૪માં ૧૨,૧૦૦ શ્લોકપ્રમાણ એક ટીકા લખી છે. તે મૂલ ગ્રન્થના કર્તાના શિષ્ય ધર્મઘોષસૂરિના શિષ્ય હતા. - દેવભદ્રે પણ તેના ઉપર ચન્દ્રપ્રભના શિષ્ય શાન્તિભદ્રસૂરિની સહાયથી એક ટીકા લખી છે. આ ટીકા ૩૦૦૮ શ્લોકપ્રમાણ છે. આ દેવભદ્ર વિમલગણીના શિષ્ય હતા. સમ્યક્ત્વાલંકાર - આ વિવેકસમુદ્રગણીની રચના છે. આનો ઉલ્લેખ જેસલમેરના સૂચીપત્રમાં કરવામાં આવ્યો છે. યતિદિનકૃત્ય આ રચના હરિભદ્રસૂરિની મનાય છે. તેમાં શ્રમણોની દૈનંદિન પ્રવૃત્તિઓના વિશે નિરૂપણ છે. ૧. આ કૃતિ જિનપતિના વિવરણ સાથે ‘જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ’ સૂરતથી સન્ ૧૯૧૯માં પ્રકાશિત થઈ છે. ૨. દેવભદ્રની ટીકા સાથે આ ગ્રન્થ હીરાલાલ હંસરાજે સન્ ૧૯૧૩માં છપાવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy