________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
૨૫૨
રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ બીજ, આર્તધ્યાન કરનારની લેશ્યા અને તેમનાં લિંગ; રૌદ્રધ્યાનના ચાર ભેદ; રૌદ્રધ્યાન કરનારની લેશ્યા અને તેમનાં લિંગ; ધર્મ(ધર્મ)ધ્યાનને લક્ષ્યમાં રાખી જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્યભાવના - આ ચાર ભાવનાઓનું સ્વરૂપ; ધ્યાન સંબંધી દેશ, કાલ, આસન અને આલંબન, ધર્મ(ધર્મ) ધ્યાનના ચાર ભેદ; તેના તથા શુક્લધ્યાનના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદોના ધ્યાતા; ધર્મધ્યાન પછી ક૨વામાં આવતી અનુપ્રેક્ષા (ભાવના); ધર્મધ્યાન કરનારની લેશ્યા તથા તેમનાં લિંગ; શુક્લધ્યાન માટે આલંબન, કેવલજ્ઞાનીઓ દ્વારા કરાતા યોગનિરોધની વિધિ; શુક્લધ્યાનમાં ધ્યાતા, અનુપ્રેક્ષા, લેશ્યા અને લિંગ; ધર્મધ્યાન અને શુક્લધ્યાનનાં ફળ; અને ૧૦૫મી ગાથા દ્વારા ઉપસંહાર.
ટીકા ઝાણઝયાણ ઉપર સમભાવી હરિભદ્રસૂરિએ જે ટીકા લખી છે તેમાં પહેલાં (પત્ર ૫૮૧ આમાં) ધ્યાન વિશે સંક્ષિપ્ત માહિતી આપી છે. તે પછી ૧૦૫ ગાથાઓ ઉપર પોતાની ટીકા લખી છે અને તે પ્રકાશિત પણ થઈ છે. તેનું ટિપ્પણ પણ છપાયું છે. તેના ઉપર એક અજ્ઞાતકર્તૃક ટીકા પણ છે. ધ્યાનવિચાર
આની એક હસ્તપ્રતિ પાટણના કોઈ ભંડારમાં છે. ગદ્યાત્મક આ સંસ્કૃત કૃતિ ધ્યાનમાર્ગના ૨૪ પ્રકાર, ચિત્તા, ભાવના-ધ્યાન, અનુપ્રેક્ષા, ભવનયોગ, કરણયોગ જેવા વિવિધ વિષયો ઉપર પ્રકાશ નાખે છે. આ પ્રત્યેક વિષય
૧. આ કૃતિ ‘જૈન સાહિત્ય વિકાસ મંડલ’ તરફથી સન્ ૧૯૬૧માં પ્રકાશિત ‘નમસ્કારસ્વાધ્યાય' (પ્રાકૃત વિભાગ)ના પૃ. ૨૨૫-૨૬૦માં ગુજરાતી અનુવાદ, સન્મુલના વગેરે માટે ટિપ્પણ અને સાત પરિશિષ્ટો સાથે છપાઈ છે. આ પ્રાકૃત વિભાગ જ્યારે છપાતો હતો તે જ વખતે આ આખી રચના તે સંસ્થાએ સન્ ૧૯૬૦માં સ્વતંત્ર પુસ્તિકારૂપે આરંભમાં દેહષટ્કોણયન્ત્ર (ભારતીય યન્ત્ર) અને અંતે બે યંત્રચિત્રો સાથે પ્રકાશિત કરી હતી. તેમાં પ્રથમ યંત્રચિત્ર ચોવીસ તીર્થંકરોની માતાઓ પોતાના તીર્થંકર થનાર પુત્ર તરફ જુએ છે તે સંબંધી છે, જ્યારે બીજું યંત્રચિત્ર ધ્યાનના વીસમા પ્રકાર ‘પરમ માત્રા'નું ચોવીસ વલયો સહિત આલેખન છે. આ યંત્રચિત્ર તો ઉપર્યુક્ત નમસ્કારસ્વાધ્યાયમાં પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org