SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ કર્મસાહિત્ય અને આમિક પ્રકરણ ટીકાઓ – હેમપ્રભે વિ.સં.૧૨૨૩ યા મતાન્તરે ૧૨૭૩માં ૨૧૩૪ શ્લોકપ્રમાણની એક વૃત્તિ લખી છે. તેનો આરંભ “વન્દ્રાહિત્યમહષધીથી થાય છે. તે ધર્મઘોષના શિષ્ય યશોઘોષના શિષ્ય હતા. આ ઉપરાંત ઉપલભ્ય અન્ય બે વૃત્તિઓમાંથી એક વૃત્તિ મુનિભદ્ર લખી છે અને અજ્ઞાતકર્તૃક બીજી ૮૫૮૦ શ્લોકપ્રમાણની છે. સંઘતિલકના શિષ્ય દેવેન્દ્ર વિ.સં.૧૪૨૯માં ૭૩૨૬ શ્લોકપ્રમાણની એક ટીકા લખી છે. તેમાં પ્રત્યેક પ્રશ્ન ઉપર એક એક કથા આપવામાં આવી છે. સર્વસિદ્ધાન્તવિષમપદપર્યાય આ પાર્શ્વદેવગણી અમરનામ શ્રીચન્દ્રસૂરિની કૃતિ છે. તે શીલભદ્રસૂરિના શિષ્ય હતા. શ્રીચન્દ્રસૂરિએ ન્યાયપ્રવેશકવ્યાખ્યા પર પંજિકા અને વિ.સં.૧૨૨૮માં નિરયાવલીનુયખંધ ઉપર વૃત્તિ લખી છે. પ્રસ્તુત કૃતિ ૨૨૬૪ શ્લોકપ્રમાણ છે અને વિવિધ આગમોની વ્યાખ્યાઓમાં આવતા દુર્બોધ સ્થાનો ઉપર પ્રકાશ પાડે આ નામની અન્ય કૃતિઓ પણ મળે છે. ખરતરગચ્છીય જિનરાજસૂરિના શિષ્ય જિનભદ્રસૂરિએ પણ “સર્વસિદ્ધાન્તવિષમપદપર્યાય' નામનો ગ્રંથ લખ્યો છે. તેને “સમસ્ત સિદ્ધાન્તવિષમપદપર્યાય” પણ કહે છે. આ જિનભદ્રસૂરિએ જયસાગરની સન્ટેહદોલાવલીના સંશોધનમાં વિ.સં.૧૮૯૫માં સહાય કરી હતી. ૧. આ અજ્ઞાતકર્તક વૃત્તિની વિ.સં.૧૪૪૧ની એક હસ્તલિખિત પ્રતિ મળે છે. ૨. પ્રસ્તુત કૃતિનો ફેંચ અનુવાદ થયો છે અને તે છપાયો પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy