SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ કરે છે અને એ રીતે પ્રકરણમાં કેવું નિરૂપણ હોવું જોઈએ તેનો બોધ કરાવે છે. આગમિક પ્રકરણોની રચના કેમ થઈ એ પણ વિચારણીય પ્રશ્ન છે. વિચાર કરતાં એનાં કારણો નીચે મુજબ જણાય છે : ૧. આગમોનું પઠન-પાઠન સામાન્ય કક્ષાના લોકોને માટે દુર્ગમ જણાતાં તે આગમોના સારરૂપે ભિન્ન ભિન્ન કૃતિઓની રચના થવી સ્વાભાવિક છે. આ રીતે રચાયેલી કૃતિઓને “આગમિક પ્રકરણ” કહે છે. ૨. ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે આગમોમાં કેટલાય વિષયો અહીંતહીં વિખરાયેલા હોય છે. એવા વિષયોમાં કેટલાક તો મહત્ત્વના હોય છે જ; તેથી એવા વિષયોના સુસંકલિત અને સુવ્યવસ્થિત નિરૂપણની આવશ્યકતા રહે છે. આ આવશ્યકતા પૂરી કરવા માટે સુસમ્બદ્ધ પ્રકરણો રચાવાં જોઈએ, અને એવું થયું પણ છે. ૩. આગમોમાં આવતા વિષયો સરળતાથી કંઠસ્થ કરી શકાય તે માટે તેમની રચના પદ્યમાં હોવી જોઈએ, પરંતુ આગમોમાં આવનારા તે બધા વિષયો પદ્યમાં નથી હોતા. આગમિક પ્રકરણોની રચના પાછળનું આ પણ એક કારણ છે. ૪. આગમોમાં આવતા ગહન વિષયોમાં પ્રવેશ કરવા માટે પ્રવેશદ્વાર સમાન કૃતિઓની એટલે કે પ્રકરણની યોજના હોવી જોઈએ અને આ દિશામાં પ્રયત્નો પણ કરવામાં આવ્યા. ૫. જૈન આચાર-વિચારનો એટલે કે જૈન સંસ્કૃતિનો સામાન્ય બોધ સુગમતાથી થઈ શકે એ દૃષ્ટિએ પણ આગમિક પ્રકરણોનો ઉદ્દભવ થઈ શકે છે અને થયો પણ છે. આ રીતે ઉપર્યુક્ત એક યા બીજા કારણે પૂર્વાચાર્યોએ આગમોના આધારે જે સુશ્લિષ્ટ અને સાંગોપાંગ પ્રકરણ પાઈય (પ્રાકૃત)માં અને વળી પદ્યમાં લખ્યાં તે “આગમિક પ્રકરણ' કહેવાય છે. એવું લાગે છે કે પ્રારંભમાં આગમિક પ્રકરણ પ્રાકૃત પદ્યમાં લખાયાં, પરંતુ કાલાન્તરમાં સંસ્કૃતમાં પદ્ય અને ગદ્ય ઉભયરૂપમાં તેમની રચના થઈ. સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયોમાં “થોકડા” (સ્તબક) નામથી પ્રસિદ્ધ સાહિત્ય આગમિક પ્રકરણોની માનો કે ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલી આવૃત્તિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy