SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકરણ આગમિક પ્રકરણોનો ઉભવ અને વિકાસ સમગ્ર જૈન વાયના આગમિક અને આગમેતર એમ બે વિભાગ કરી શકાય. આગમિક સાહિત્ય એટલે આગમ અને તેની સાથે સમ્બદ્ધ વ્યાખ્યાત્મક ગ્રન્થો. તેનાથી ભિન્ન સાહિત્ય “આગમેતર છે અને તે આગમોની જેમ આગમપ્રવિષ્ટ' નથી, પરંતુ “આગમબાહ્ય' છે. આગમોને આધારે રચાયેલાં પ્રકરણોને આ વિભાગમાં “આગમિક પ્રકરણ” કહેવામાં આવ્યાં છે. દિગંબરાચાર્ય કુંદકુંદના ગ્રન્થોનો પણ સમાવેશ આગામિક પ્રકરણોમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર વાર્ષય આગમેતર સાહિત્યનો એક ભાગ છે. • જૈન આગમોમાં દિઢિવાય (દષ્ટિવાદ) નામના બારમા અંગનું, મહત્ત્વ અને વિશાળતાની દષ્ટિએ, અગ્ર સ્થાન છે; તેમાં પણ તેનો પુત્રગય (પૂર્વગત) નામનો ઉપવિભાગ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેના પુત્ર (પૂર્વ) નામના ઉપવિભાગ અને પુણ્વના પાહુડ (પ્રાભૃત) નામથી પ્રસિદ્ધ અનુવિભાગોમાંથી કેટલાંક પ્રાભૂતોનાં નામોનો વિચાર કરતાં એવું લાગે છે કે તેમનામાં અમુક અમુક વિષય સંબંધી નિબંધ સમાન નિરૂપણ હશે. આજે “દષ્ટિવાદ' અંગ લુપ્ત થઈ ગયું છે, તેથી તેમાં આવેલાં પ્રકરણો વિશે કંઈ કહેવા જેવું રહેતું નથી. પૂર્વગત'ની રચના પછી આયાર (આચાર) વગેરે અગીઆર અંગોની તથા કાલાન્તરમાં ઈતર આગમોની રચના થઈ. તેમનામાંથી જે વિભિન્ન પઈષ્ણગોની (પ્રકીર્ણકોની) રચના થઈ તે બધાં આજે ઉપલબ્ધ નથી. પરંતુ તે (ઉપલબ્ધ અને અનુપલબ્ધ પ્રકીર્ણક) પ્રાભૃત વગેરેની રચના પછી લખાયેલાં આગમિક પ્રકરણોના ઉદ્દભવના આદિકાલને અવશ્ય સૂચિત કરે છે. ઉપલબ્ધ આગમોમાં “ઉત્તરઝયણ’(ઉત્તરાધ્યયન)નાં કેટલાંય અધ્યયનો અને પણવણા” (પ્રજ્ઞાપના)નું પ્રત્યેક પય (પદ) એક એક વિષયનું ક્રમબદ્ધ નિરૂપણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy