SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયમામૃત પણ બતાવવામાં આવ્યું છે કે કયા કયા જીવોમાં ક્યાં કયાં સંક્રમસ્થાનો હોતા નથી." વેદક અર્થાધિકારમાં નીચે જણાવેલા પ્રશ્નો વિચારણીય દર્શાવાયા છે : કયો જીવ કેટલી કર્મપ્રકૃતિઓને ઉદયાવલીમાં પ્રવેશ કરાવે છે ? કયો જીવ કઈ સ્થિતિમાં પ્રવેશક બને છે ?કયો જીવ કયા અનુભાગમાં પ્રવેશક બને છે ? એમનો સાન્તર અને નિરન્તર કાળ કેટલો હોય છે ? તે સમયે કયો જીવ વધુમાં વધુ તથા કયો જીવ ઓછામાં ઓછા કર્મોની ઉદીરણા કરે છે ? પ્રતિસમય ઉદીરણા કરતો તે જીવ કેટલા સમય સુધી નિરન્તર ઉદીરણા કરતો રહે છે ? જે જીવ સ્થિતિ, અનુભાગ અને પ્રદેશાગ્રમાં જેનું સંક્રમણ કરે છે, જેને બાંધે છે તથા જેની ઉદીરણા કરે છે તે કોનાથી અધિક હોય છે ? ઉપયોગ અર્થાધિકારમાં નીચે જણાવેલ પ્રશ્નોનો નિર્દેશ કરવામાં આવ્યો છે: કયા કષાયમાં કેટલા સમય સુધી ઉપયોગ હોય છે ? કયો ઉપયોગકાલ કોનાથી અધિક છે ? કોણ કયા કષાયમાં નિરન્તર ઉપયોગયુક્ત રહે છે ? એક ભવગ્રહણમાં તથા એક કષાયમાં કેટલા ઉપયોગો હોય છે અને એક ઉપયોગમાં તથા એક કષાયમાં કેટલા ભવો હોય છે? કયા કપાયમાં કેટલી ઉપયોગવર્ગણાઓ હોય છે અને કઈ ગતિમાં કેટલી વર્ગણાઓ હોય છે ? એક અનુભાગમાં અને એક કષાયમાં એક કાળની અપેક્ષાએ કઈ ગતિ સદશરૂપથી ઉપયુક્ત હોય છે તથા કઈ ગતિ વિસદશરૂપથી ઉપયુક્ત હોય છે ? સદશ કષાયવર્ગણાઓમાં કેટલા જીવો ઉપયુક્ત છે, ઈત્યાદિ ?? ચતુઃસ્થાન અર્થાધિકારમાં ગ્રન્થકારે દર્શાવ્યું છે કે ક્રોધ, માન, માયા અને લોભના ચાર ભેદ છે. ક્રોધના ચાર ભેદ છે : નગરાજિ, પૃથિવીરાજિ, વાલુકારાજિ અને ઉદકરાજિ સમાન. માનના ચાર ભેદ છે : શૈલઘન, અસ્થિ, દારૂ અને લતા સમાન. માયાના ચાર ભેદ છે : વાંસનાં મૂળ, ઘેટાનાં શિંગડાં, ગોમૂત્ર અને અવલેખની સમાન. લોભના ચાર ભેદ છે : કૃમિરાગ, અક્ષમલ, પાંશુલેપ અને હારિદ્રવસ્ત્ર સમાન. | વ્યંજન અર્થાધિકારમાં ક્રોધ, માન, માયા અને લોભના એકાર્થક પદો દર્શાવ્યાં છે. ક્રોધ, કોપ, રોષ, અક્ષમા, સંજવલન, કલહ, વૃદ્ધિ, ઝંઝા, દ્વેષ અને ૧. ગાથા ૪૯-૫૪ ૨. ગાથા ૫૯-૬૨ ૩. ગાથા ૬૩-૬૯ ૪. ગાથા ૭૦-૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy