________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
મોહનીયના અઠ્ઠાવીસ, ચોવીસ, સત્તર, સોળ અને પંદર પ્રકૃતિસ્થાનોને છોડી બાકીનાનો સંક્રમ થાય છે. સોળ, બાર, આઠ, વીસ, તેવીસ, ચોવીસ, પચ્ચીસ, છવ્વીસ, સત્તાવીસ અને અઠ્ઠાવીસ પ્રકૃતિસ્થાનોને છોડી બાકીનાનો પ્રતિગ્રહ થાય
છે.
૯૪
બાવીસ, પંદર, અગીઆર અને ઓગણીસ આ ચાર પ્રકૃતિસ્થાનોમાં છવ્વીસ અને સત્તાવીસ પ્રકૃતિસ્થાનોનો નિયમતઃ સંક્રમ થાય છે. સત્તર અને એકવીસ પ્રકૃતિસ્થાનોમાં પચ્ચીસ પ્રકૃતિસ્થાનનો નિયમતઃ સંક્રમ થાય છે. આ સંક્રમસ્થાન નિયમતઃ ચારે ગતિઓમાં અને ત્રણ પ્રકારના દ્દષ્ટિગતો (મિથ્યાદષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિ)માં હોય છે. આ પ્રકારે અન્ય પ્રકૃતિસ્થાનોના સંક્રમના વિશે પણ સામાન્ય નિર્દેશ કરવામાં આવ્યો છે.
આગળ ઉપર એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે એક એક પ્રતિગ્રહસ્થાન, સંક્રમસ્થાન અને તદુભયસ્થાનની દૃષ્ટિએ વિચાર કરતાં ભવ્ય અને અભવ્ય જીવો કયા કયા સ્થાનોમાં હોય છે, ઔયિક વગેરે પાંચ પ્રકારના ભાવોથી વિશિષ્ટ ગુણસ્થાનોમાંથી કયા ગુણસ્થાનમાં કેટલાં સંક્રમસ્થાનો હોય છે, કેટલાં પ્રતિગ્રહસ્થાનો હોય છે અને કયા સંક્રમસ્થાન કે પ્રતિગ્રહસ્થાનની સમાપ્તિ કેટલા કાળથી થાય છે?
નરકગતિ, દેવગતિ અને (સંજ્ઞીતિર્યંચ) પંચેન્દ્રિયોમાં પાંચ જ સંક્રમસ્થાનો હોય છે. મનુષ્યગતિમાં બધાં સંક્રમસ્થાનો હોય છે. બાકીના અસંશીઓમાં ત્રણ સંક્રમસ્થાનો હોય છે. મિથ્યાત્વગુણસ્થાનમાં ચાર, સભ્યમિથ્યાત્વગુણસ્થાનમાં બે, સમ્યક્ત્વગુણસ્થાનોમાં તેવીસ, વિરતગુણસ્થાનોમાં બાવીસ, વિરતાવિરતગુણસ્થાનમાં પાંચ, અવિરતગુણસ્થાનમાં છ, શુક્લલેશ્યામાં તેવીસ, તેજોલેશ્યા અને પદ્મલેશ્યામાં છ, કપોતલેશ્યા, નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યામાં પાંચ, અપગતવેદ, નપુંસકવેગ, સ્ત્રીવેદ અને પુરુષવેદમાં ક્રમશઃ અઢાર, નવ, અગીઆર અને તેર, ક્રોધ વગેરે ચાર કષાયોમાં ક્રમશઃ સોળ, ઓગણીસ, તેવીસ અને તેવીસ, ત્રિવિધ જ્ઞાન (મતિ, શ્રુત અને અધિ)માં તેવીસ, એક જ્ઞાન (મન:પર્યય)માં એકવીસ, ત્રિવિધ અજ્ઞાન (કુમતિ, કુશ્રુત અને વિભંગ)માં પાંચ, આહારક અને ભવ્યમાં તેવીસ તથા અનાહા૨કમાં પાંચ સંક્રમસ્થાનો હોય છે. અભવ્યમાં એક જ સંક્રમસ્થાન હોય છે. આગળ એ
૫
૧. ગાથા ૨૭-૨૮
૨.
ગાથા ૨૯-૩૦
૩. ગાથા ૩૧-૩૯; ગાથા ૨૭-૩૯ શિવશર્મકૃત કર્મપ્રકૃતિના સંક્રમણકરણ પ્રકરણની ગાથા ૧૦-૨૨ સાથે મળતી છે.
૪. ગાથા ૪૦-૪૧
૫.
ગાથા ૪૨-૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org