SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ વેદના અનુભવ સમ્યત્ત્વોત્પત્તિનું કારણ ઘટતું નથી. અન્યથા બધા નારકી જીવો સમ્યગ્દષ્ટિ બની જશે. આ શંકાના સમાધાનમાં કહેવામાં આવ્યું છે કે વેદના સામાન્ય સમ્યક્તોત્પત્તિનું કારણ નથી. જે જીવોમાં એવો ઉપયોગ હોય કે અમુક વેદના અમુક મિથ્યાત્વના કારણે અથવા અમુક અસંયમના કારણે ઉત્પન્ન થઈ છે તે જ જીવોની વેદના સ ત્ત્વોત્પત્તિનું કારણ બને છે.' બન્ધક – ક્ષુદ્રકબધનું વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં ટીકાકારે મહાકર્મપ્રકૃતિપ્રાભૃતરૂપી પર્વતનો પોતાના બુદ્ધિરૂપી શિરથી ઉદ્ધાર કરીને પુષ્પદન્તાચાર્યને સમર્પિત કરનાર ધરસેનાચાર્યના જયની કામના કરી છે : जयउ धरसेणणाहो जेण महाकम्मपयडिपाहुडसेलो । बुद्धिसिरेणुद्धरिओ समप्पिओ पुप्फयंतस्स ॥ મહાકર્મપ્રકૃતિપ્રાભૂતનાં કૃતિ, વેદના વગેરે ચોવીસ અનુયોગદ્વારોમાંથી છઠ્ઠા અનુયોગદ્વાર બન્ધકના ચાર અધિકાર છે : બબ્ધ, બન્ધક, બલ્પનીય અને બન્ધવિધાન. જીવ જ બન્ધક હોય છે કારણ કે મિથ્યાત્વ આદિ બન્ધનાં કારણોથી રહિત અજીવમાં બન્ધકત્વ ઘટતું નથી. બન્ધક ચાર પ્રકારના હોય છે : નામબન્ધક, સ્થાપનાબન્ધક, દ્રવ્યબન્ધક અને ભાવબમ્પક. ધવલાકારે આ બધાનું સ્વરૂપ સમજાવ્યું છે.' બન્ધસ્વામિત્વવિચય – સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત અને સિદ્ધ આ પાંચ લોકપાલોને નમસ્કાર કરીને ટીકાકારે બન્ધના સ્વામિત્વનો વિચાર કર્યો છે. साहूवज्झाइरिए अरहंते वंदिऊण सिद्धे वि । जे पंच लोगवाले वोच्छं बन्धस्स सामित्तं ॥ કૃતિ, વેદના વગેરે ચોવીસ અનુયોગદ્વારોમાં બન્ધન છઠ્ઠ અનુયોગદ્વાર છે. એના બન્ધ આદિ ચાર ભેદ અથવા અધિકાર છે. એમાં બન્ધ નામના પ્રથમ અધિકારમાં જીવ અને કર્મોના સંબંધનું નયની અપેક્ષાએ નિરૂપણ છે. બમ્પક નામના બીજા અધિકારમાં અગીઆર અનુયોગદ્વારો વડે બન્ધકોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બન્ધનીય નામનો ત્રીજો અધિકાર તેવીસ વર્ગણાઓથી બંધયોગ્ય અને અબંધયોગ્ય પુદ્ગલ દ્રવ્યનું નિરૂપણ કરે છે. બન્ધવિધાન નામનો ચોથો અધિકાર ચાર પ્રકારનો છેપ્રકૃતિબન્ધ, સ્થિતિબન્ધ, અનુભાગબબ્ધ અને પ્રદેશબબ્ધ. એમાંથી પ્રકૃતિબન્ધના બે ભેદ છે : મૂલપ્રકૃતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિબન્ધ. મૂલપ્રકૃતિબન્ધના બે પ્રકાર છે : ૧. એજન, પૃ. ૪૨૨-૪૨૩ ૨. પુસ્તક ૭, પૃ. ૧-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy